wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ધોરણ - 8 એકમ - 7 આધુનિક ભારતમાં ક્લા

Total questions: 43

Worksheet time: 22mins

Name
Class
Date
1.

માનવની અભિવ્યક્તિનું માધ્યમ કયું છે ?

a)

સાહિત્ય

b)

કલા

c)

પ્રવાસ

d)

સ્વાતંત્ર્ય

2.

કલા શાસ્ત્રીઓ કલા ને કેટલા ભાગમાં વહેંચે છે ?

a)

બે

b)

ત્રણ

c)

ચાર

d)

આપેલ પૈકી એકપણ નહિ.

3.

દ્રશ્યકલામાં કઈ બે કલાનો સમાવેશ થાય છે ?

a)

ચિત્ર અને સંગીત

b)

શિલ્પ અને નૃત્ય

c)

નૃત્ય અને નાટ્ય

d)

ચિત્ર અને શિલ્પ

4.

પ્રદર્શિત કલામાં કઈ બે કલાઓનો સમાવેશ થાય છે ?

a)

સંગીત અને ચિત્ર

b)

શિલ્પ અને નૃત્ય

c)

નૃત્ય અને નાટ્ય

d)

વાદ્ય અને ચિત્ર

5.

સંસ્કૃતિને ઉજાગર કરતું માધ્યમ કયુ છે ?

a)

મહાપુરુષો

b)

મહાન ગ્રંથો

c)

કલા

d)

નદીઓ

6.

વૈશ્વિકતા, વિવિધતામાં એકતા અને ધર્મનિરપેક્ષતા શામાં જોવા મળે છે ?

a)

ભારતીય કલામાં

b)

પ્રકૃતિમાં

c)

પ્રાચીન સાહિત્યમાં

d)

શાસનપદ્ધતિમાં

7.

ચિત્રકલા ના શરૂઆતના વિષયો કયા હતા ?

a)

ધર્મગ્રંથોના પ્રસંગો

b)

દેવી-દેવતાઓ

c)

પશુ પક્ષીઓ

d)

આપેલ તમામ

8.

કઈ વિશ્વવિદ્યાલયોમાં કલા શિક્ષણ આપવામાં આવતું હતું ?

a)

તક્ષશિલા અને વલભી

b)

તક્ષશિલા અને નાલંદા

c)

નાલંદા અને વિક્રમશીલા

d)

વલભી અને વિક્રમશીલા

9.

કચ્છના મહારાવ પ્રાગમલજીએ કયા શહેરમાં કલાશાળા શરૂ કરી હતી ?

a)

ગાંધીધામમાં

b)

લખપતમાં

c)

ભુજમાં

d)

અંજારમાં

10.

મહારાજા સયાજીરાવે વડોદરામાં કલા શિક્ષણ માટે કઈ સંસ્થા સ્થાપી હતી ?

a)

કલાશાળા

b)

કલા ભવન

c)

કલાધર

d)

કલાસદન

11.

ઈ.સ.1951 માં શિક્ષકોને કલાનું શિક્ષણ આપવા કલાશાળાની સ્થાપના કયા શહેરમાં થઈ હતી ?

a)

રાજકોટમાં

b)

વડોદરામાં

c)

ભાવનગરમાં

d)

અમદાવાદમાં

12.

અમદાવાદમાં શેઠ સી.એન વિદ્યાલયમાં સ્થપાયેલી કલાશાળા ના પ્રથમ આચાર્ય કોણ હતા ?

a)

રવિશંકર રાવળ

b)

સોમાલાલ શાહ

c)

રસિકલાલ પરીખ

d)

રમેશભાઈ પંડ્યા

13.

ભારતમાં ચિત્રકલાનો ઇતિહાસ કેટલો જૂનો છે ?.

a)

પાષાણ યુગ જેટલો

b)

તામ્રયુગ જેટલો

c)

લોહયુગ જેટલો

d)

ધાતુયુગ જેટલો

14.

ઈ.સ. પૂર્વે 7000ના કાળના મધ્યપ્રદેશની કઈ ગુફાઓ માંથી ચિત્રો મળી આવ્યા છે ?

a)

નરસિંહગઢની

b)

બાદામીની

c)

ભીમબેટકાની

d)

સિત્તાનાવસલની

15.

ઈ.સ. પૂર્વે 2000ની આસપાસના સમયના ચિત્રો મહારાષ્ટ્રની કઈ ગુફામાંથી મળી આવ્યા છે ?

a)

બાદામીની

b)

સીત્તાનાવસલની

c)

ભીમબેટકાની

d)

નરસિંહગઢની

16.

ભીમબેટકા ની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ?

a)

મહારાષ્ટ્રમાં

b)

ગુજરાતમાં

c)

મધ્યપ્રદેશમાં

d)

બિહારમાં

17.

કઈ ગુફાઓ માંથી મળી આવેલા ચિત્રો ભારતીય ચિત્રકલાનો પ્રથમ પુરાવો ગણાય છે ?

a)

બાદામીની

b)

ભીમબેટકા ની

c)

સિત્તાનાવસલની

d)

નરસિંહગઢની

18.

કયા યુગને ભારતીય ચિત્રકલાનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવી શકાય ?

a)

મુઘલ યુગને

b)

આધુનિક યુગને

c)

ગુપ્તયુગને

d)

મૌર્યયુગને

19.

અજંતા અને ઇલોરાની ગુફાઓના વિશ્વવિખ્યાત ચિત્રો કયા યુગ દરમિયાન નિર્માણ પામ્યા હતા ?

a)

રાજપુત યુગ દરમિયાન

b)

મુગલ યુગ દરમિયાન

c)

ગુપ્ત યુગ દરમિયાન

d)

મૌર્ય યુગ દરમિયાન

20.

અજંતાની ગુફાઓનું ભગવાન બુદ્ધનું કયું ચિત્ર વિશ્વવિખ્યાત થયેલું છે ?

a)

બોધિસત્વનું

b)

પદ્મપાણિનું

c)

વજ્રપાણીનું

d)

સિતારપાણીનું

21.

બાદામીની ગુફા કયા રાજ્યમાં આવેલી છે ?

a)

કર્ણાટકમાં

b)

તમિલનાડુમાં

c)

મધ્યપ્રદેશમાં

d)

આંધ્ર પ્રદેશમાં

22.

સિત્તાનાવસલની ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલી છે ?

a)

આંધ્ર પ્રદેશમાં

b)

મધ્યપ્રદેશમાં

c)

કર્ણાટકમાં

d)

તમિલનાડુમાં

23.

કયા મુઘલ બાદશાહે ચિત્ર શાળાની સ્થાપના કરી હતી ?

a)

જહાંગીરે

b)

અકબરે

c)

હુમાયુએ

d)

બાબરે

24.

ઈ.સ. 1750 પછીના ભારતમાં અંગ્રેજો અને ભારતીયોએ ચિત્રશાળાની કઈ શૈલી વિકસાવી હતી ?

a)

પાલ શૈલી

b)

અર્ધ પશ્ચાત શૈલી

c)

રાજપૂત શૈલી

d)

કાંગડા શૈલી

25.

નીચેના પૈકી કયા ચિત્રકારને ચિત્રકલાના શ્રેષ્ઠ કલાકાર ગણાવી શકાય ?

a)

રવીન્દ્રનાથ ટાગોરને

b)

રાજા રવિવર્માને

c)

રવિશંકર રાવળને

d)

નંદલાલ બોઝને

26.

રાજા રવિવર્માના ઉત્કૃષ્ટ તૈલચિત્રોમાં કયું ચિત્ર પ્રખ્યાત થયું છે ?

a)

ગંગા અવતરણનું

b)

દેવી સરસ્વતીનું

c)

બિલ્વમંગળનું

d)

શકુંતલાનું

27.

ઈ.સ. 1901 માં બંગાળમાં કઈ ચિત્ર સંસ્થાની સ્થાપના થઈ હતી ?

a)

ટાગોર નિકેતનની

b)

કલાનિકેતનની

c)

રવિન્દ્રનિકેતનની

d)

શાંતિનિકેતનની

28.

મદ્રાસ સ્કુલ ઓફ આર્ટ ચિત્રશાળાની સ્થાપના કયા કલાકાર કરી હતી ?

a)

દેવીપ્રસાદ રોય ચૌધરીએ

b)

રાજા રવિવર્માએ

c)

રવિશંકર રાવળે

d)

અવનીન્દ્રનાથ ટાગોરે

29.

પ્રાચીન ચિત્ર શૈલીઓ કઈ કઈ છે ?

a)

હિંદુ , બૌદ્ધ , જૈન

b)

હિંદુ , બૌદ્ધ , શીખ

c)

હિંદુ , શીખ , જૈન

d)

શીખ , હિંદુ , ખ્રિસ્તી

30.

બંગાળ, બિહાર, નેપાળ અને તિબેટ સુધી વિસ્તરેલી ચિત્ર શૈલીને કયા નામે ઓળખવામાં આવે છે ?

a)

જૈન શૈલી નામે

b)

કાંગડા શૈલીના નામે

c)

પાલ શૈલી નામે

d)

રાજપુત શૈલીના નામે

31.

બારમી સદી થી ગુજરાત, માળવા અને રાજસ્થાનના પ્રદેશોમાં કઈ શૈલીનો વિકાસ થયો હતો ?

a)

રાજપુત શૈલીનો

b)

જૈન શૈલીનો

c)

રાજસ્થાન શૈલીનો

d)

ગુજરાત શૈલીનો

32.

ગુજરાતમાં કઈ શૈલી ના ચિત્રો વિશેષ જોવા મળ્યા છે ?

a)

કાંગડા શૈલીના

b)

રાજપુત શૈલીના

c)

રાજસ્થાન શૈલીના

d)

જૈન શૈલીના

33.

કઈ ચિત્ર શૈલીના કેન્દ્રમાં રાધાકૃષ્ણ, કૃષ્ણ ભક્તિ, રાસલીલા વગેરે વિષયો રહેલા છે ?

a)

જૈન શૈલીના

b)

રાજપુત શૈલીના

c)

કાગડા શૈલીના

d)

પહાડી શૈલીના

34.

ભારતીય અને ઈરાની શૈલી ના સમન્વયથી કઈ ચિત્ર શૈલી અસ્તિત્વમાં આવી હતી ?

a)

મુઘલ ચિત્ર શૈલી

b)

દરબારી ચિત્ર શૈલી

c)

રાજપુત ચિત્ર શૈલી

d)

કાંગડા ચિત્ર શૈલી

35.

કયા મુઘલ બાદશાહના સમયમાં મુઘલ ચિત્રશૈલી તેના સર્વોચ્ચ શિખર પહોંચી હતી ?

a)

શાહજહાના

b)

જહાંગીરના

c)

અકબરના

d)

બાબરના

36.

કયા મુઘલ બાદશાહના દરબારમાં મનચુર અને મિશનદાસ જેવા પ્રખ્યાત ચિત્રકારો હતા ?

a)

શાહજહાંના

b)

જહાંગીરના

c)

અકબરના

d)

હુમાયુના

37.

કઈ ચિત્રકલા દરબારી કલા હતી ?

a)

મુઘલ ચિત્રકલા

b)

કાંગડા ચિત્રકલા

c)

રાજપુત ચિત્રકલા

d)

જૈન ચિત્રકલા

38.

કાંગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા ?

a)

બિશનદાસ

b)

મનસુર

c)

કિશનદાસ

d)

મોલારામ

39.

બોમ્બે આર્ટ સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં ચિત્ર રજૂ કરનાર પ્રથમ ગુજરાતી કલાકાર કોણ હતા ?

a)

વૃંદાવન સોલંકી

b)

પીરાજી સાગરા

c)

રસિકલાલ પરીખ

d)

રવિશંકર રાવળ

40.

કલા ગુરુ રવિશંકર રાવળના કયા ચિત્રને સુવર્ણ પદક મળ્યો હતો ?

a)

બિલ્વમંગળને

b)

શકુંતલાને

c)

ઉર્વશી ને

d)

ગંગા અવતરણને

41.

ઈ.સ. 1924 માં કુમાર માસિક નો પ્રારંભ કોણે કર્યો હતો ?

a)

રમેશભાઈ પંડ્યા એ

b)

રવિશંકર રાવળ એ

c)

સોમાલાલ શાહે

d)

રસિકલાલ પરીખે

42.

ગુજરાત કલા સંઘની સ્થાપના કોણે કરી હતી ?

a)

રસિકલાલ પરીખે

b)

નટુ પરીખે

c)

રવિશંકર રાવળ

d)

હકુભાઇ શાહે

43.

ગુજરાતના કયા કલાકાર કલા ગુરુ ગણાય છે ?

a)

વૃંદાવન સોલંકી

b)

રવિશંકર રાવળ

c)

રમેશભાઈ પંડ્યા

d)

રસિકલાલ પરીખ