wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

વચનામૃત વડતાલ 1

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

વડતાલનું પહેલું વચનામૃત શ્રીજી મહારાજે કયા સ્થાને બિરાજમાન થઈને પ્રબોધ્યું છે ?

a)

લક્ષ્મીનારાયણ દેવના મંદિરમાં

b)

ગોમતીજીને કાંઠે

c)

આંબાવાડિયામાં

2.

વડતાલના પ્રથમ વચનામૃતનું શીર્ષક શું છે ?

a)

યોગ સમાધિનું

b)

સવિકલ્પ સમાધિનું

c)

નિર્વિકલ્પ સમાધિનું

3.

વડતાલના પ્રથમ વચનામૃતમાં પહેલો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

a)

મયારામ ભટ્ટે

b)

શોભારામ શાસ્ત્રીએ

c)

દીનાનાથ ભટ્ટે

4.

નિર્વિકલ્પ સમાધિને પામે ત્યારે કોણ ગુણાતીત થાય ને એકાંતિક થાય ?

a)

મુક્ત

b)

મુમુક્ષુ

c)

પામર

5.

નિર્વિકલ્પ  સમાધિ ક્યારે થાય ?

a)

પ્રાણનો નિરોધ થાય ત્યારે

b)

પ્રાણ લીન થાય ત્યારે

c)

પ્રત્યક્ષ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય થાય    

        ત્યારે.

6.

શ્રીમદ્ ભાગવતમાં વિશ્વના કેટલા લક્ષણોથી ભગવાનનું સ્વરૂપ જાણવામાં આવે છે ?

a)

નવ લક્ષણોથી

b)

30 લક્ષણોથી

c)

દસ લક્ષણોથી

7.

આશ્રયરૂપ ભગવાનના સ્વરૂપમાં મુમુક્ષુને કેવી મતિ થાય ?

a)

સુમતિ

b)

દૂર્મતિ

c)

અચળ મતિ

8.

સમાધિ થાય તો પણ કેવા ભક્તને સંકલ્પ વિકલ્પ મટે નહીં ?

a)

ભગવાનને સર્વના કારણ જાણે તેને

b)

સમાધિમાં નવું નવું જોવા ઈચ્છે તેને

c)

સવિકલ્પ સમાધિવાળાને

9.

કેવા ભક્તને સમાધિ વિના પણ સદાય નિર્વિકલ્પ સમાધિ જ છે ?

a)

જે પોતાને કૃતાર્થ ન માને તેને

b)

ભગવાનના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય હોય તેને

c)

જે હજુ એકાંતિક ભક્ત ન થયો હોય તેને

10.

ભગવાનના પ્રત્યક્ષ સ્વરૂપનો દૃઢ નિશ્ચય થયો કોને કહેવાય ?

a)

શ્રીકૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો દ્રઢ નિશ્ચય

b)

શ્રીજી મહારાજ પ્રત્યક્ષ છે એવો દ્રઢ નિશ્ચય

c)

પોતાને જે સ્વરૂપની પ્રાપ્તિ થઈ હોય એ સ્વરૂપનો દ્રઢ નિશ્ચય

11.

વડતાલના પ્રથમ વચનામૃતમાં બીજો પ્રશ્ન કોણે પૂછ્યો છે ?

a)

શ્રીજી મહારાજે

b)

શોભારામ શાસ્ત્રીએ

c)

દીનાનાથ ભટ્ટે

12.

દીનાનાથ ભટ્ટે શું પ્રશ્ન પૂછ્યો છે ?

a)

મનના સંકલ્પ વિકલ્પ ટાળવાનો ઉપાય શું છે ?

b)

મનને જીતવાનો ઉપાય શું છે ?

c)

મનને ન જીતી શકે તો તેની શી ગતિ થાય ?

13.

કૌરવો - પાંડવોએ યુદ્ધના પ્રારંભે શું વિચાર્યું ?

a)

આપણી જીત થાય એવા ઠેકાણે યુદ્ધ કરીએ.

b)

યુદ્ધમાં જે કોઈ મરે તેના જીવનું રૂડું થાય.

c)

કુરુક્ષેત્રના મેદાનમાં જ યુદ્ધ કરીએ.

14.

કુરુક્ષેત્રના યુદ્ધમાં જે મરાયા તેને શી પ્રાપ્તિ થઈ ?

a)

દેવલોકની પ્રાપ્તિ થઈ.

b)

અક્ષરધામની પ્રાપ્તિ થઈ.

c)

બ્રહ્મલોકની પ્રાપ્તિ થઈ.

15.

જે પોતાના મન સાથે લડાઈ આદરે અને તે મન આગળ હારે તો તેને શું પ્રાપ્ત થાય ?

a)

અધોગતિ થાય.

b)

યોગભ્રષ્ટ થાય.

c)

સદગતિ થાય.

16.

જે પોતાના મન સાથે લડાઈ કરે અને તે મનને જીતે તો તેને શી પ્રાપ્તિ થાય ?

a)

એકાંતિક ભક્ત થાય.

b)

નિર્વિકલ્પ સ્થિતિને પામે.

c)

યોગભ્રષ્ટ થાય.

17.

જે મન સાથે લડાઈ આદરે તો શું થાય ?

a)

મનમાં મૂંઝવણ થાય.

b)

મન આગળ હારી જાય.

c)

અંતે જાતા એકાંતિક ભક્ત થાય.

18.

મન સાથેની લડાઈમાં શું વ્યર્થ ન જાય ?

a)

દાખડો

b)

ખટકો

c)

રાજીપો

19.

પોતાના કલ્યાણ માટે કોણે મન સાથે જરૂર વૈર બાંધવું ?

a)

બુદ્ધિવાન હોય તેણે

b)

મૂરખ હોય તેણે.

c)

એકાંતિક હોય તેણે.

20.

જેને પોતાનું કલ્યાણ કરવું હોય તેણે કોની સાથે જરૂર વેર બાંધવું ?

a)

દુશ્મન સાથે

b)

મિત્ર સાથે

c)

મન સાથે