NEW
Font size
Worksheetssatsang diksha
Total questions: 20
Worksheet time: 10mins
‘અક્ષરરૂપ થઈને હું પુરુષોત્તમની ભક્તિ કરું’ એમ પોતાના લક્ષ્યનું ચિંતન, આળસ રાખ્યા વગર કોઈવાર કરવું.
ખરું
ખોટું
બંને
સ્વામિનારાયણ ભગવાન સર્વકર્તાહર્તા છે, સર્વોપરી છે, નિયામક છે. તેઓ મને અહીં પ્રત્યક્ષ મળ્યા છે.
ખરું
ખોટું
બંને
હું ધન્ય છું, પરમ ભાગ્યશાળી છું, કૃતાર્થ છું, નિ:શંક છું, નિશ્ચિંત છું અને સદા સુખી છું કારણ કે મને શ્રીજી મહારાજ પ્રત્યક્ષ મળ્યા છે .
ખરું
ખોટું
માન, ઈર્ષ્યા, કામ, ક્રોધ ઈત્યાદિ દોષોનો આવેગ ટળે ત્યારે હું અક્ષર છું, પુરુષોત્તમનો દાસ છું એમ ચિંતવન કરવું.
ખરું
ખોટું
સ્વામિનારાયણ ભગવાન તથા ભક્તોને પ્રતિદિન વિશ્વાસ અને ભક્તિભાવથી પ્રાર્થના કરવી.
ખરું
ખોટું
જે થઈ ગયું છે, થઈ રહ્યું છે અને જે કાંઈ આગળ થશે તે બધું જ મારી ઈચ્છાથી મારા હિત માટે જ છે એમ માનવું.
ખરું
ખોટું
સ્વધર્મનું સદા પાલન કરવું અને પરધર્મનો સ્વિકાર કરવો.
ખરું
ખોટું
વયે કરીને, જ્ઞાને કરીને કે ગુણે કરીને જે અલ્પ હોય તેમનું આદર થકી પ્રણામ તથા મધુર વચનાદિકે કરીને યથોચિત સન્માન કરવું.
ખરું
ખોટું
પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન, અક્ષરબ્રહ્મસ્વરૂપ ગુણાતીત ગુરુ, તેમણે આપેલ દિવ્ય સિદ્ધાંત તથા તેમના આશ્રિત ભક્તોનો વિવેકે કરીને સદાય સત્કાર કરવો.
ખરું
ખોટું
ભગવાન અને ગુરુની આજ્ઞા શાંતિથી અનુકૂળતા મુજબ પાળવી.
ખરું
ખોટું
આજ્ઞા સદા આનંદ, ઉત્સાહ અને મહિમા સાથે તેમને રાજી કરવાના ભાવથી પાળવી.
ખરું
ખોટું
પરમાત્માની ........................ ચિંતન દરરોજ કરવું.
દિવ્ય પ્રાપ્તિનું
મહિમાનું
પ્રસન્નતાનું
આપેલ તમામ
પોતાના આત્માને ત્રણ દેહ, ત્રણ અવસ્થા તથા ત્રણ ગુણથી જુદો સમજી તેની ......................... સાથે એકતાની વિભાવના પ્રતિદિન કરવી.
પરબ્રહ્મ
અક્ષરબ્રહ્મ
ઈશ્વર
અવતાર
દરરોજ જગતના ...................... નું અનુસંધાન કરવું.
નાશવંતપણાનું
પ્રલયનું
સર્જનનું
કારણ
સર્વ ................... નું નિવારણ કરનારા સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન સદૈવ મારી સાથે છે.
પ્રતાપ
ઐશ્વર્ય
દોષો
દુઃખ
ભગવાન અને ગુરુની આજ્ઞાનો ત્યાગ કરી પોતાના મનનું ધાર્યું કરવામાં આવે તેને મુમુક્ષુએ શું જાણવું?
અધર્મ
સ્વધર્મ
પરધર્મ
કલ્પિતધર્મ
જે કર્મ ફળ આપે તેવું હોય તેમ છતાં ........................ બાધ કરતું હોય તેવા કર્મનું આચરણ ન કરવું.
પોતાને
બીજાને
ધર્મમાં
ભક્તિમાં
વિદ્વાનો, વડીલો તથા અધ્યાપકોને સદા શું આપવું?
આસન
પ્રસાદી
ભેટ
આદર
ભગવાન અને બ્રહ્મસ્વરૂપ ગુરુની ………………… નું સદાય પાલન કરવું.
મર્યાદા
પ્રતિજ્ઞા
આજ્ઞા
ઉપાસના
પ્રતિદિન સ્થિર ચિત્તે અંતર્દૃષ્ટિ કરવી કે....
આજે મારાથી કાંઈ ભૂલ તો નથી થઈ ગઈને?
હું આ લોકમાં શું કરવા આવ્યો છું? અને શું કરી રહ્યો છું?
મારામાં કેટલું માન છે?
આજે કેટલી સેવા થઈ?
