wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Account portion 2

Total questions: 30

Worksheet time: 30mins

Name
Class
Date
1.

પુન:મૂલ્યાંકન ખાતાંને _____________ તરીકે પણ ઓળખવામાં આવે છે.

a)

મૂડી અનામત ખાતાં

b)

નફા-નુકસાન ફાળવણી ખાતાં

c)

નફા-નુકસાન હવાલા ખાતાં

d)

નફા-નુકસાન ખાતાં

2.

ભાગીદારી પેઢીનુ પુનર્ગઠન થાય ત્યારે ___________ બનાવવામાં આવે છે.

a)

વેપાર ખાતું

b)

માલ-મિલકત નિકાલ ખાતું

c)

નફા-નુકસાન ફાળવણી ખાતું

d)

પુન:મૂલ્યાંકન ખાતું

3.

પુન:મૂલ્યાંકન ખાતાંનો નફો કે નુકસાન કયા પ્રમાણમાં ભાગીદારો વચ્ચે વહેંચવામાં આવે છે?

a)

જુના નફા-નુકસાનના પ્રમાણમાં

b)

નવા નફા-નુકસાનના પ્રમાણમાં

c)

ત્યાગના પ્રમાણમાં

d)

લાભના પ્રમાણમાં

4.

ભાગીદારી પેઢીના પુનર્ગઠન વખતે રોકાણો___________ પુનઃમૂલ્યાંકન બાદના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે.

a)

ચોપડે કિંમતે - બજાર કિંમતે

b)

પડતર કિંમતે

c)

બજાર કિંમતે

d)

દાર્શનિક કિંમતે

5.

ભાગીદારી પેઢીના પુનર્ગઠનમાં લાભનું પ્રમાણ = ________________

a)

નવો નફા-નુકસાનનો ભાગ - જુનો નફા-નુકસાનનો ભાગ

b)

જૂનો નફા-નુકસાનનો ભાગ - નવો નફા-નુકસાનનો ભાગ

c)

જૂનો નફા-નુકસાનનો ભાગ + નવો નફા-નુકસાનનો ભાગ

d)

જૂનો નફા-નુકસાનનો ભાગ × નવો નફા-નુકસાનનો ભાગ

6.

જો ત્યાગના સૂત્રથી જવાબ ઋણ આવે તો ______________

a)

ભાગીદાર ત્યાગ કરે છે.

b)

ભાગીદાર ત્યાગ કરતો નથી.

c)

ભાગીદાર લાભ મેળવતો નથી.

d)

ભાગીદાર લાભ મેળવે છે.

7.

જ્યારે ફક્ત નફા-નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ = ____________

a)

સરખા હિસ્સે

b)

જૂનું પ્રમાણ

c)

જુનો ભાગ - નવો ભાગ

d)

શોધી શકાય નહીં

8.

પુન: મૂલ્યાંકન ખાતું __________ પ્રકારનું ખાતું છે.

a)

વ્યક્તિ

b)

ઊપજ-ખર્ચ

c)

માલ-મિલકત

d)

કામ ચલાઉ

9.

નવો ભાગીદાર તેના ભાગની પાઘડીની રકમ રોકડમાં લાવે ત્યારે ___________ ખાતે જમા કરવામાં આવે છે.

a)

પાઘડીના પ્રીમિયમ

b)

રોકડ

c)

પાઘડી

d)

તેના મૂડી

10.

નવા ભાગીદારે લાવેલ પાઘડીનું પ્રિમીયમ __________ બાજુ લઈ જવામાં આવે છે

a)

જુના ભાગીદારોના મૂડી ખાતે જુના નફા- નુકસાનના પ્રમાણમાં ઉધાર

b)

જુના ભાગીદારોના મૂડી ખાતે જુના નફા-નુકસાનના પ્રમાણમાં જમા

c)

જુના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં ઉધાર

d)

જુના ભાગીદારોના મૂડી ખાતે તેમના ત્યાગના પ્રમાણમાં જમા

11.

હિસાબી ધોરણ 26 મુજબ ________ પાઘડી ચોપડે દર્શાવી શકાય.

a)

પાઘડી માટે ખરેખર અવેજ આપેલ હોય તેવી

b)

સ્વ-મૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ

c)

આંતરિક રીતે ઉદભવેલ પાઘડી

d)

એક પણ નહીં

12.

નવા ભાગીદારના પ્રવેશ વખતે જો દેવાંની કિંમતમાં ઘટાડો થતો હોય તો ___________

a)

પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર થશે.

b)

પુનઃમૂલ્યાંકન ખાતે જમા થશે.

c)

પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કે જમા થશે.

d)

પુનઃમૂલ્યાંકન ખાતે નોંધ ન થાય.

13.

કામદાર નફાભાગ ભંડોળ ભાગીદારની નિવૃત્તિ વખતે _________ તરીકે નોંધાય છે

a)

નવા પાકા સરવૈયામાં જવાબદારી

b)

બધા જ ભાગીદારો ખાતે, જુના નફા-નુકસાનના પ્રમાણમાં જમા

c)

બધા જ ભાગીદારો ખાતે, જુના નફા-નુકસાનના પ્રમાણમાં ઉધાર

d)

નિવૃત થતા ભાગીદાર ખાતે જમા

14.

જ્યારે ફક્ત નફા-નુકસાનનું જુનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે બાકીના ભાગીદારોનું લાભનું પ્રમાણ = ____________

a)

1:1

b)

જૂનું પ્રમાણ

c)

મૂડીનું પ્રમાણ

d)

શોધી શકાય નહીં

15.

ભાગીદારની નિવૃત્તિ કે મૃત્યુ વખતે પુનઃમૂલ્યાંકન ખાતાંની ખોટ ________ખાતે _________ ના પ્રમાણમાં મૂડી ખાતાંની _________ બાજુ નોંધાય છે.

a)

બાકીના ભાગીદારો, નવા નફા-નુકસાન, ઉધાર

b)

બધા જ ભાગીદારો, જુના નફા નુકસાન, જમા

c)

બધા જ ભાગીદારો, જુના નફા-નુકસાન, ઉધાર

d)

બધા જ ભાગીદારો, સરખે હિસ્સે, ઉધાર

16.

A, B અને C 3:2:6ના પ્રમાણથી નફો-નુકસાન વહેંચતા ભાગીદારો છે ભાગીદાર B નિવૃત્ત થાય છે, તો A અને C વચ્ચે નફા-નુકસાનનું નવું પ્રમાણ શોધો.

a)

1:1

b)

1:3

c)

1:2

d)

2:1

17.

ભાગીદારની નિવૃત્તિ વખતે પેઢીના પાકા સરવૈયામાં દર્શાવેલ પાઘડી ________ નોંધાય છે.

a)

જો ભાગીદારો નક્કી કરે તો નવા પાકા સરવૈયામાં દર્શાવવામાં આવે છે

b)

બધા જ ભાગીદારોના મૂડી ખાતાંની ઉધાર બાજુ, જુના નફા-નુકસાનના પ્રમાણમાં

c)

બધા જ ભાગીદારોના મૂડી ખાતાંની જમા બાજુ, જુના નફા-નુકસાનના પ્રમાણમાં

d)

ફક્ત નિવૃત્ત થતા ભાગીદારના મૂડી ખાતાંની ઉધાર બાજુ

18.

નિવૃત્ત ભાગીદારને ચૂકવવાની રકમ ચૂકવી શકાય તેમ ન હોય અથવા કોઈ સૂચના ન હોય તો ___________

a)

તેના ચાલુ ખાતે લઇ જવાય.

b)

નફા-નુકસાન ખાતે લઇ જવાય.

c)

બેંક ખાતે લઇ જવાય.

d)

તેની લોન ખાતે લઇ જવાય.

19.

જ્યારે જપ્ત થયેલા બધા જ શેર ફરીથી બહાર પાડવામાં આવે ત્યારે શેર જપ્તી ખાતાની બાકી ___________ ખાતે લઈ જવામાં આવે છે.

a)

શેરમૂડી

b)

મૂડી અનામત

c)

નફા-નુકસાન

d)

સામાન્ય અનામત

20.

જપ્ત થયેલા શેર પર પ્રીમિયમની રકમ મળી ન હોય તો તે પ્રમાણસર પ્રીમિયમની રકમ __________

a)

જામીનગીરી પ્રીમિયમ ખાતે ઉધારાય છે.

b)

જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા થાય છે.

c)

મૂડી અનામત ખાતે જમા થાય છે.

d)

શેરમૂડી ખાતે ઉધારાય છે.

21.

નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં શેરમૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં આવતી નથી?

a)

સત્તાવાર મૂડી

b)

અનામત મૂડી

c)

બહાર પાડેલી મૂડી

d)

ભરાયેલી મૂડી

22.

શેર જપ્ત થાય ત્યારે જપ્ત થયેલા શેર પર મંગાવેલી કુલ રકમ ____________ કરવામાં આવે છે.

a)

શેર જપ્તી ખાતે ઉધાર

b)

શેર જપ્તી ખાતે જમા

c)

શેરમૂડી ખાતે જમા

d)

શેરમૂડી ખાતે ઉધાર

23.

જો જાહેર ભરણામાં અરજી વખતે બહાર પાડેલ શેર કરતા ____________ ઓછા શેરની અરજીઓ આવે તો શેરનું ભરણું રદ કરવામાં આવે છે

a)

50%થી

b)

75%થી

c)

90%થી

d)

100%થી

24.

કંપનીને શેરના જાહેર ભરણાં માટે કોની સંમતિ લેવી પડે છે?

a)

કેન્દ્ર સરકાર

b)

સેબી

c)

રાજ્ય સરકાર

d)

રિઝર્વ બેંક

25.

નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારો આધારિત વર્ગીકરણ દર્શાવે છે?

a)

બાહ્ય વિશ્લેષણ

b)

આડું વિશ્લેષણ

c)

ટૂંકા ગાળાનું વિશ્લેષણ

d)

ઊભું વિશ્લેષણ

26.

નાણાકીય પત્રકોનું વિશ્લેષણ _________

a)

ફક્ત પરિણામો રજૂ કરે છે.

b)

ઐતિહાસિક માહિતી પૂરી પાડે છે.

c)

અર્થઘટન કરે છે.

d)

આપેલ પૈકી એક પણ નહીં

27.

ધંધાકીય એકમના સંચાલકો નાણાકીય પત્રકોના વિશ્લેષણ દ્વારા સંચાલકીય નિર્ણયો કરે છે તેને __________ વિશ્લેષણ કહે છે.

a)

બાહ્ય

b)

આંતરિક

c)

આડું

d)

ઊભું

28.

એક જ વર્ષના જુદા-જુદા એકમોનાં જુદા જુદા નાણાકીય પત્રકોની તુલનાત્મક સરખામણીને _________ વિશ્લેષણ કહે છે.

a)

બાહ્ય

b)

આંતરિક

c)

ઊભું

d)

આડું

29.

કંપની તેના શેર, શેરની મૂળકિંમતના વધુમાં વધુ કેટલા ટકા લેખે પ્રીમિયમથી બહાર પાડી શકે છે?

a)

10%

b)

100%

c)

25%

d)

કોઈ મર્યાદા નથી.

30.

હાલના કંપનીધારાના નિયમ પ્રમાણે કંપની શેરદીઠ ઓછામાં ઓછી કેટલી કિંમતે તેના શેર બહાર પાડી શકે?

a)

₹ 100

b)

₹ 1,000

c)

₹ 1

d)

₹ 0.50