wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

NMMS SS STD 8

Total questions: 100

Worksheet time: 50mins

Name
Class
Date
1.

​1. જો કોન્સ્ટેન્ટિનોપલ (ઈસ્તંબુલ) જીતી લેવામાં ન આવ્યું હોત, તો યુરોપિયનોને ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાની જરૂર શા માટે ન પડત?

a)

A) કારણ કે તેઓ વિમાનમાં આવી શકતા હતા

b)

B) કારણ કે જૂનો જમીન માર્ગ ચાલુ રહેત

c)

C) કારણ કે તેમને ભારત આવવું જ નહોતું

d)

D) કારણ કે ભારતના લોકો ત્યાં જતા હતા

2.

​2. ભારતમાં પોર્ટુગીઝ સત્તાનો અંત આવ્યો, પણ દીવ, દમણ અને ગોવામાં તે લાંબો સમય રહી, કારણ કે...

a)

A) ત્યાંની પ્રજા પોર્ટુગીઝ હતી

b)

B) મુઘલ શાસકોએ ત્યાં ધ્યાન ન આપ્યું

c)

C) પોર્ટુગીઝો પાસે પ્રબળ નૌકાદળ હતું

d)

D) ત્યાં વેપાર ઓછો હતો

3.

​3. પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ-દૌલાની હારનું સૌથી મોટું કારણ શું હતું?

a)

A) તેનું સૈન્ય નબળું હતું

b)

B) રોબર્ટ ક્લાઈવની દગાખોરી અને મીરજાફરનો વિશ્વાસઘાત

c)

C) વરસાદ પડ્યો હતો

d)

D) અંગ્રેજો પાસે અણુબોમ્બ હતા

4.

​4. બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની 'દીવાની સત્તા' મળી, તેનો અર્થ શું થાય?

a)

A) તેમને દીવો પ્રગટાવવાનો હક મળ્યો

b)

B) તેમને મહેસૂલ ઉઘરાવવાની સત્તા મળી

c)

C) તેમને માત્ર વેપાર કરવાની છૂટ મળી

d)

D) તેઓ રાજા બની ગયા

5.

5. અંગ્રેજોએ ભારતમાં રેલવેની શરૂઆત કરી, તેમાં તેમનો મુખ્ય સ્વાર્થ કયો હતો?

a)

A) ભારતીયોને મુસાફરી કરાવવી

b)

B) ભારતનો વિકાસ કરવો

c)

C) લશ્કરની હેરફેર અને કાચા માલની નિકાસ સરળ બનાવવી

d)

D) ભારતમાં પ્રવાસન વધારવું

6.

​6. કાયમી જમાબંધી (Permanent Settlement) માં જમીનદારોએ શા માટે ખેડૂતોનું શોષણ કર્યું?

a)

A) કારણ કે નક્કી કરેલું મહેસૂલ સરકારને આપવું ફરજિયાત હતું, ભલે પાક નિષ્ફળ જાય

b)

B) જમીનદારોને ખેડૂતો ગમતા ન હતા

c)

C) અંગ્રેજોએ ખેડૂતોને મારવાનું કહ્યું હતું

d)

D) ખેડૂતો પાસે ખૂબ પૈસા હતા

7.

​7. ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ કયું હતું?

a)

A) ડેલહાઉસીની ખાલસા નીતિ

b)

B) એનફિલ્ડ રાઈફલમાં ડુક્કર અને ગાયની ચરબીવાળી કારતૂસોનો ઉપયોગ

c)

C) રેલવેની શરૂઆત

d)

D) સતી પ્રથા નાબૂદી

8.

​8. 1857 નો સંગ્રામ નિષ્ફળ ગયો, તેનું એક કારણ એ હતું કે...

a)

A) ભારતીય સૈનિકો ડરપોક હતા

b)

B) સંગ્રામ નિર્ધારિત તારીખ કરતાં વહેલો શરૂ થયો અને કેન્દ્રીય નેતૃત્વનો અભાવ હતો

c)

C) અંગ્રેજો ભારત છોડીને ભાગી ગયા હતા

d)

D) રાણી લક્ષ્મીબાઈ લડ્યા ન હતા

9.

​9. રાજા રામમોહનરાયે 'સતી પ્રથા' વિરુદ્ધ ઝુંબેશ કેમ ચલાવી?

a)

A) તે પશ્ચિમી સંસ્કૃતિના ચાહક હતા

b)

B) તેમને સ્ત્રીઓના અધિકારો અને ગૌરવની ચિંતા હતી

c)

C) અંગ્રેજોએ તેમને કહ્યું હતું

d)

D) તે પ્રખ્યાત થવા માંગતા હતા

10.

​10. દયાનંદ સરસ્વતીએ 'વેદો તરફ પાછા વળો' નો નારો આપ્યો, તેનો સાચો અર્થ શું છે?

a)

A) જૂના જમાનામાં જીવવું

b)

B) માત્ર સંસ્કૃત બોલવું

c)

C) વેદોમાં રહેલા જ્ઞાન, સત્ય અને ઉદાત્ત વિચારોને અપનાવવા

d)

D) મૂર્તિપૂજા કરવી

11.

​11. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના વખતે અંગ્રેજોનું વલણ કેવું હતું?

a)

A) ખૂબ જ કડક

b)

B) સહાનુભૂતિપૂર્ણ અને નરમ

c)

C) વિરોધી

d)

D) તટસ્થ

12.

​12. લોકમાન્ય ટિળકનું કયું વાક્ય ભારતીય સ્વતંત્રતા સંગ્રામનો મંત્ર બન્યું?

a)

A) તુમ મુઝે ખૂન દો...

b)

B) સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તે મેળવીને જ જંપીશ

c)

C) ઇન્કલાબ ઝિંદાબાદ

d)

D) કરો યા મરો

13.

​13. જલિયાંવાલા બાગમાં લોકો શા માટે ભેગા થયા હતા?

a)

A) મેળામાં ફરવા માટે

b)

B) રોલેટ એક્ટના વિરોધમાં અને ધરપકડ કરાયેલા નેતાઓના સમર્થનમાં

c)

C) ક્રિકેટ મેચ જોવા

d)

D) અંગ્રેજોનું ભાષણ સાંભળવા

14.

14. ગાંધીજીએ 'અસહકારનું આંદોલન' શા માટે પાછું ખેંચી લીધું?

a)

A) તે થાકી ગયા હતા

b)

B) ચોરી-ચૌરાના હિંસક બનાવને કારણે

c)

C) અંગ્રેજોએ માફી માંગી લીધી હતી

d)

D) લોકોએ ના પાડી હતી

15.

​15. સાયમન કમિશનનો વિરોધ ભારતીયોએ શા માટે કર્યો?

a)

A) તેમાં સાયમન હાજર ન હતો

b)

B) તે કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હતો

c)

C) તે મોડું આવ્યું હતું

d)

D) તેમાં માત્ર સ્ત્રીઓ હતી

16.

​16. દાંડી કૂચ દ્વારા ગાંધીજીએ કયા કાયદાનો ભંગ કર્યો?

a)

A) કાપડના કાયદાનો

b)

B) મીઠાના કાયદાનો

c)

C) પ્રેસના કાયદાનો

d)

D) જંગલના કાયદાનો

17.

​17. 'હિંદ છોડો' આંદોલન દરમિયાન ગાંધીજીએ દેશવાસીઓને કયો મંત્ર આપ્યો?

a)

A) દિલ્હી ચલો

b)

B) જય હિન્દ

c)

C) કરેંગે યા મરેંગે

d)

D) આરામ હરામ હૈ

18.

18. સુભાષચંદ્ર બોઝ અને ગાંધીજી વચ્ચે મતભેદનું મુખ્ય કારણ શું હતું?

a)

A) વ્યક્તિગત દુશ્મનાવટ

b)

B) આઝાદી મેળવવાની વિચારધારા અને પદ્ધતિ (અહિંસા vs સશસ્ત્ર ક્રાંતિ)

c)

C) કોંગ્રેસ પ્રમુખ પદ માટે

d)

D) ભાષાનો પ્રશ્ન

19.

​19. આઝાદી પછી ભારત સામે સૌથી મોટો પડકાર કયો હતો?

a)

A) નવા રાષ્ટ્રધ્વજની પસંદગી

b)

B) 562 જેટલા દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ

c)

C) ક્રિકેટ ટીમ બનાવવી

d)

D) અંગ્રેજોને પાછા બોલાવવા

20.

​20. સરદાર પટેલને 'ભારતના બિસ્માર્ક' કેમ કહેવાય છે?

a)

A) તેઓ જર્મની ગયા હતા

b)

B) જેમ બિસ્માર્કે જર્મનીનું એકીકરણ કર્યું, તેમ પટેલે ભારતનું અખંડિતતા જાળવી

c)

C) તેઓ ખૂબ કડક હતા

d)

D) તેઓ વકીલ હતા

21.

21. જો પ્લાસીનું યુદ્ધ અંગ્રેજો હારી ગયા હોત તો?

a)

A) ભારત કદાચ ગુલામ ન બન્યું હોત

b)

B) અંગ્રેજો મિત્ર બની જાત

c)

C) ફ્રેન્ચો સત્તા સ્થાપત

d)

D) મોગલ સામ્રાજ્ય મજબૂત બનત

22.

22. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં કોની સામે લડ્યા હતા?

a)

A) અંગ્રેજોની રંગભેદની નીતિ સામે

b)

B) ત્યાંના મૂળ વતનીઓ સામે

c)

C) ફ્રેન્ચ સરકાર સામે

d)

D) ભારતીય વેપારીઓ સામે

23.

​23. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ કઈ વિચારધારામાં માનતા હતા?

a)

A) નરમપંથી

b)

B) ક્રાંતિકારી વિચારધારા

c)

C) સામ્યવાદી

d)

D) રાજાશાહી

24.

​24. સ્વતંત્ર ભારતના પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા?

a)

A) માઉન્ટ બેટન

b)

B) સી. રાજગોપાલાચારી

c)

C) જવાહરલાલ નેહરુ

d)

D) રાજેન્દ્ર પ્રસાદ

25.

​25. ઝારખંડ રાજ્ય કયા રાજ્યમાંથી અલગ પડ્યું?

a)

A) ઉત્તર પ્રદેશ

b)

B) મધ્ય પ્રદેશ

c)

C) બિહાર

d)

D) ઓડિશા

26.

​26. સંસાધન એટલે શું?

a)

A) કુદરતમાં પડેલી કોઈપણ વસ્તુ

b)

B) માનવીની જરૂરિયાતો સંતોષી શકે તેવી ઉપયોગી વસ્તુ

c)

C) ફેક્ટરીમાં બનેલી વસ્તુ

d)

D) નકામો કચરો

27.

​27. નીચેનામાંથી કયું 'પુનઃ અપ્રાપ્ય' (Non-renewable) સંસાધન છે?

a)

A) સૌર ઉર્જા

b)

B) કોલસો અને પેટ્રોલિયમ

c)

C) પવન ઉર્જા

d)

D) જંગલો

28.

28. કાળી જમીનને 'કપાસની જમીન' કેમ કહેવાય છે?

a)

A) તે કાળી હોય છે

b)

B) તેમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધુ હોવાથી કપાસને અનુકૂળ આવે છે

c)

C) કપાસ કાળો હોય છે

d)

D) ખેડૂતોને તે ગમે છે

29.

​29. રણ પ્રકારની જમીનમાં ખેતી ઓછી થાય છે કારણ કે...

a)

A) રેતી ઉડે છે

b)

B) દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે અને જૈવિક તત્વોનો અભાવ હોય છે

c)

C) ત્યાં ટ્રેક્ટર ચાલી શકતા નથી

d)

D) ત્યાં કોઈ રહેતું નથી

30.

30. ખેતીમાં 'ટપક સિંચાઈ પદ્ધતિ' અપનાવવાનો મુખ્ય ફાયદો શું છે?

a)

A) પાણીનો બગાડ અટકે છે અને મૂળ સુધી પાણી પહોંચે છે

b)

B) છોડ જલ્દી મોટા થાય છે

c)

C) ખેતર સુંદર દેખાય છે

d)

D) વરસાદની જરૂર પડતી નથી

31.

31. ચાના બગીચામાં પાણી ભરાઈ રહે તો શું થાય?

a)

A) ચા સારી થાય

b)

B) ચાના છોડના મૂળ સડી જાય

c)

C) પાંદડા મીઠા થાય

d)

D) ચા લાલ થાય

32.

32. ગુજરાતમાં કપાસનું ઉત્પાદન કયા પ્રદેશમાં સૌથી વધુ થાય છે?

a)

A) ડાંગ

b)

B) કાનમ પ્રદેશ (ભરૂચ-વડોદરા)

c)

C) કચ્છ

d)

D) ગીર

33.

​33. 'સજીવ ખેતી' (Organic Farming) માં કોનો ઉપયોગ થતો નથી?

a)

A) છાણિયું ખાતર

b)

B) અળસિયાનું ખાતર

c)

C) રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ

d)

D) લીમડાનું દ્રાવણ

34.

​34. સિલિકોન વેલી (અમેરિકા) અને બેંગલુરુ (ભારત) વચ્ચે શું સમાનતા છે?

a)

A) બંને જગ્યાએ સિલિકોન મળે છે

b)

B) બંને માહિતી તકનીક (IT) ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે

c)

C) બંને દરિયા કિનારે છે

d)

D) બંને જગ્યાએ ખૂબ ઠંડી છે

35.

​35. લોખંડ-પોલાદ ઉદ્યોગને 'પાયાનો ઉદ્યોગ' કેમ કહેવાય છે?

a)

A) તે જમીનના પાયામાં હોય છે

b)

B) અન્ય ઉદ્યોગોના મશીનો અને ઓજારો બનાવવા માટે લોખંડ-પોલાદ જરૂરી છે

c)

C) તે સૌથી જૂનો ઉદ્યોગ છે

d)

D) તેમાં ખૂબ પૈસા મળે છે

36.

​36. અમદાવાદને એક સમયે 'ભારતનું માન્ચેસ્ટર' કેમ કહેવાતું હતું?

a)

A) ત્યાં અંગ્રેજો રહેતા હતા

b)

B) સુતરાઉ કાપડ ઉદ્યોગના પ્રચંડ વિકાસને કારણે

c)

C) ત્યાં માન્ચેસ્ટર નામનું ગામ હતું

d)

D) ત્યાં ક્રિકેટ મેચ રમાતી હતી

37.

​37. માનવ સંસાધનને રાષ્ટ્રની સૌથી મોટી સંપત્તિ કેમ ગણવામાં આવે છે?

a)

A) કારણ કે માણસોની વસ્તી વધારે છે

b)

B) કારણ કે શિક્ષણ અને કૌશલ્ય દ્વારા માનવી જ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરી શકે છે

c)

C) કારણ કે માણસો ટેક્સ ભરે છે

d)

D) કારણ કે માણસો મત આપે છે

38.

​38. ભારતમાં વસ્તી ગણતરી દર કેટલા વર્ષે થાય છે?

a)

A) 5 વર્ષે

b)

B) 10 વર્ષે

c)

C) 20 વર્ષે

d)

D) દર વર્ષે

39.

​39. ભોપાલ ગેસ દુર્ઘટના (1984) એ કયા પ્રકારની આપત્તિ હતી?

a)

A) કુદરતી

b)

B) માનવસર્જિત (ઔદ્યોગિક અકસ્માત)

c)

C) જૈવિક

d)

D) હવામાનને લગતી

40.

40. ભૂકંપ સમયે શાળામાં હોવ તો શું કરવું જોઈએ?

a)

A) ગભરાઈને ભાગદોડ કરવી

b)

B) પાટલી (બેન્ચ) નીચે બેસી જવું

c)

C) અગાશી પર જવું

d)

D) બૂમાબૂમ કરવી

41.

41. દુષ્કાળ (Drought) થી બચવા માટે શું કરવું જોઈએ?

a)

A) વધુ વરસાદની રાહ જોવી

b)

B) જળ સંચય અને ટપક સિંચાઈ જેવી પદ્ધતિઓ અપનાવવી

c)

C) ખેતી બંધ કરી દેવી

d)

D) શહેરમાં જતા રહેવું

42.

42. 'સાક્ષરતા દર' શું દર્શાવે છે?

a)

A) કેટલા લોકો પૈસાદાર છે

b)

B) 6 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિ જે લખી-વાંચી અને સમજી શકે છે તેનું પ્રમાણ

c)

C) કેટલા લોકો અંગ્રેજી બોલે છે

d)

D) કેટલા લોકો પાસે મોબાઈલ છે

43.

​43. જાપાન દેશ કુદરતી સંસાધનોની અછત હોવા છતાં વિકસિત કેમ છે?

a)

A) તેમણે બીજા દેશો લૂંટ્યા છે

b)

B) તેમણે માનવ સંસાધન અને ટેકનોલોજીમાં રોકાણ કર્યું છે

c)

C) તેમને અમેરિકા પૈસા આપે છે

d)

D) ત્યાં વસ્તી ઓછી છે

44.

​44. જંગલોના નાશને કારણે કઈ સમસ્યા સૌથી વિકટ બની છે?

a)

A) લાકડું નથી મળતું

b)

B) ગ્લોબલ વોર્મિંગ (વૈશ્વિક તાપવૃદ્ધિ)

c)

C) પ્રાણીઓ શહેરમાં આવે છે

d)

D) ઉપરોક્ત તમામ

45.

45. સોનેરી રેશા (Golden Fiber) તરીકે કયો પાક ઓળખાય છે?

a)

A) કપાસ

b)

B) શણ

c)

C) રેશમ

d)

D) નાળિયેર

46.

​46. કોફીના પાકને સૂર્યનો સીધો તડકો ન લાગે તે માટે શું કરવામાં આવે છે?

a)

A) છત્રી ઓઢાડવામાં આવે છે

b)

B) મોટા વૃક્ષોની છાયામાં ઉગાડવામાં આવે છે

c)

C) રાત્રે જ ખેતી કરવામાં આવે છે

d)

D) ગ્રીનહાઉસમાં ઉગાડાય છે

47.

​47. જમશેદપુરમાં ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) ની સ્થાપના પાછળનું ભૌગોલિક કારણ શું હતું?

a)

A) ત્યાં નદીનું પાણી, લોખંડ અને કોલસો નજીકથી મળી રહેતા હતા

b)

B) જમશેદજીને તે જગ્યા ગમતી હતી

c)

C) ત્યાં જમીન મફત હતી

d)

D) ત્યાં સરકાર હતી

48.

​48. નીચેનામાંથી કયો 'સનરાઈઝ ઇન્ડસ્ટ્રી' (ઉગતો ઉદ્યોગ) નો ભાગ છે?

a)

A) સુતરાઉ કાપડ

b)

B) માહિતી તકનીક (IT) અને હેલ્થકેર

c)

C) કોલસાની ખાણ

d)

D) શણ ઉદ્યોગ

49.

49. વાવાઝોડા વખતે શું ન કરવું જોઈએ?

a)

A) રેડિયો પર સમાચાર સાંભળવા

b)

B) જાહેરાતના મોટા હોર્ડિંગ્સ કે ઝાડ નીચે ઊભા રહેવું

c)

C) સલામત સ્થળે ખસી જવું

d)

D) મોબાઈલ ચાર્જ કરી લેવો

50.

​50. પાણીની તંગી માટે કયું કારણ જવાબદાર નથી?

a)

A) વસ્તી વધારો

b)

B) રોકડિયા પાકોનું વાવેતર

c)

C) વધુ પડતો વરસાદ

d)

D) શહેરીકરણ

51.

​51. ભારતના બંધારણને 'જીવંત દસ્તાવેજ' કેમ કહેવામાં આવે છે?

a)

A) તે શ્વાસ લે છે

b)

B) તેમાં સમય અને સંજોગો મુજબ સુધારા કરી શકાય છે

c)

C) તે ક્યારેય જૂનું થતું નથી

d)

D) તે રોજ બદલાય છે

52.

​52. ભારત 'બિનસાંપ્રદાયિક' દેશ છે, તેનો અર્થ...

a)

A) સરકાર બધા ધર્મોને સમાન ગણે છે અને કોઈ એક ધર્મને ઉત્તેજન આપતી નથી

b)

B) દેશમાં કોઈ ધર્મ નથી

c)

C) સરકારે પોતાનો ધર્મ બનાવ્યો છે

d)

D) માત્ર બહુમતી ધર્મ ચાલે છે

53.

​53. બંધારણના આમુખમાં 'સાર્વભૌમ' શબ્દનો અર્થ શું છે?

a)

A) ભારત સોનાની ભૂમિ છે

b)

B) ભારત પોતાના આંતરિક અને બાહ્ય નિર્ણયો લેવા માટે સ્વતંત્ર છે

c)

C) ભારત બધા દેશો પર રાજ કરશે

d)

D) ભારત પર રાજાનું રાજ

54.

​54. મૂળભૂત અધિકારોનું રક્ષણ કોણ કરે છે?

a)

A) પોલીસ

b)

B) સર્વોચ્ચ અદાલત (સુપ્રીમ કોર્ટ)

c)

C) સૈન્ય

d)

D) સંસદ

55.

​55. જો કોઈ વ્યક્તિ તમારી પાસે પરાણે મજૂરી કરાવે, તો તે કયા અધિકારનો ભંગ છે?

a)

A) સમાનતાનો હક

b)

B) શોષણ વિરોધી હક

c)

C) સ્વતંત્રતાનો હક

d)

D) શિક્ષણનો હક

56.

​56. લોકશાહીમાં સંસદનું મુખ્ય કાર્ય શું છે?

a)

A) દેશ માટે કાયદા ઘડવા અને સરકાર પર નિયંત્રણ રાખવું

b)

B) ન્યાય આપવો

c)

C) ગુનેગારોને પકડવા

d)

D) ચૂંટણી લડવી

57.

​57. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે?

a)

A) દેશની જનતા સીધી રીતે

b)

B) રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો

c)

C) વડાપ્રધાન

d)

D) રાષ્ટ્રપતિ

58.

​58. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ?A) 25 વર્ષ

a)

A) 25 વર્ષ

b)

B) 30 વર્ષ

c)

C) 35 વર્ષ

d)

D) 60 વર્ષ

59.

59. ખરડો કાયદો ક્યારે બને છે?

a)

A) લોકસભામાં પસાર થાય ત્યારે

b)

B) રાજ્યસભામાં પસાર થાય ત્યારે

c)

C) રાષ્ટ્રપતિ સહી કરે ત્યારે

d)

D) વડાપ્રધાન હા પાડે ત્યારે

60.

​60. 'અસ્પૃશ્યતા નાબૂદી' કયા અધિકાર અંતર્ગત આવે છે?

a)

A) સમાનતાનો હક

b)

B) સ્વતંત્રતાનો હક

c)

C) સાંસ્કૃતિક હક

d)

D) ધાર્મિક હક

61.

​61. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હોદ્દા પરથી દૂર કરવા માટે કઈ પ્રક્રિયા વપરાય છે?

a)

A) બરતરફી

b)

B) મહાભિયોગ (Impeachment)

c)

C) રાજીનામું

d)

D) હડતાલ

62.

​62. F.I.R. નું પૂરું નામ શું છે?​62. F.I.R. નું પૂરું નામ શું છે?

a)

A) First Investigation Report

b)

B) First Information Report

c)

C) Final Inquiry Report

d)

D) Fast India Report

63.

​63. જાહેર હિતની અરજી (PIL) નો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

a)

A) વકીલોને કામ આપવું

b)

B) ગરીબ અને સામાન્ય લોકો પણ સરળતાથી ન્યાય મેળવી શકે

c)

C) સરકારને હેરાન કરવી

d)

D) કોર્ટનો સમય બગાડવો

64.

​64. સંયુક્ત રાષ્ટ્રો (UN) ની સ્થાપના ક્યારે થઈ હતી?

a)

A) 1947

b)

B) 1945 (24 ઓક્ટોબર)

c)

C) 1950

d)

D) 1914

65.

​65. આંતરરાષ્ટ્રીય અદાલતનું મુખ્ય મથક ક્યાં આવેલું છે?

a)

A) ન્યૂયોર્ક

b)

B) હેગ (નેધરલેન્ડ)

c)

C) પેરિસ

d)

D) જીનીવા

66.

​66. બાળ મજૂરી અટકાવવા માટે ભારતના બંધારણમાં કઈ વય સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે?

a)

A) 6 થી 14 વર્ષ

b)

B) 1 થી 5 વર્ષ

c)

C) 15 થી 18 વર્ષ

d)

D) 0 થી 6 વર્ષ

67.

​67. જો પોલીસ કોઈની ધરપકડ કરે, તો તેને કેટલા કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા પડે?

a)

A) 12 કલાક

b)

B) 24 કલાક

c)

C) 48 કલાક

d)

D) 7 દિવસ

68.

​68. લોકસભામાં શાસક પક્ષના વડા સામાન્ય રીતે કોણ હોય છે?

a)

A) સ્પીકર

b)

B) રાષ્ટ્રપતિ

c)

C) વડાપ્રધાન

69.

​69. રાજ્યસભા કાયમી ગૃહ છે કારણ કે...

a)

A) તેનું ક્યારેય સંપૂર્ણ વિસર્જન થતું નથી (દર બે વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે)

b)

B) તેના સભ્યો અમર છે

c)

C) તે બહુ મોટું છે

d)

D) તે દિલ્હીમાં છે

70.

​70. ભારતીય સૈન્યની ત્રણેય પાંખો (ભૂમિદળ, નૌકાદળ, હવાઈદળ) ના સર્વોચ્ચ વડા કોણ હોય છે?

a)

A) વડાપ્રધાન

b)

B) રક્ષામંત્રી

c)

C) રાષ્ટ્રપતિ

d)

D) જનરલ

71.

​71. સ્વતંત્રતાના હકમાં કઈ સ્વતંત્રતાનો સમાવેશ થતો નથી?

a)

A) વિચાર અને વાણી સ્વાતંત્ર્ય

b)

B) હરવા-ફરવાનું સ્વાતંત્ર્ય

c)

C) બીજાને મારવાનું સ્વાતંત્ર્ય

d)

D) સંઘ રચવાનું સ્વાતંત્ર્ય

72.

​72. આપણા દેશમાં કઈ શાસન પદ્ધતિ છે?

a)

A) પ્રમુખશાહી

b)

B) સંસદીય લોકશાહી

c)

C) રાજાશાહી

d)

D) સરમુખત્યારશાહી

73.

​73. આદિવાસીઓ અને વનવાસીઓના હકો માટે કયો કાયદો અમલમાં આવ્યો?

a)

A) વન અધિકાર ધારો (2006)

b)

B) જંગલ કાયદો

c)

C) પર્યાવરણ કાયદો

d)

D) મજૂર કાયદો

74.

​74. 'માહિતી મેળવવાનો અધિકાર' (RTI) નાગરિકને શું સત્તા આપે છે?

a)

A) કોઈના ઘરમાં જોવાની

b)

B) સરકારી વહીવટ અને યોજનાઓની માહિતી માંગવાની

c)

C) પરીક્ષાના પેપર માંગવાની

d)

D) ઇન્ટરનેટ વાપરવાની

75.

​75. સંસદના બે સત્રો વચ્ચે કેટલા સમયથી વધુ ગાળો ન હોવો જોઈએ?

a)

A) 3 માસ

b)

B) 6 માસ

c)

C) 1 વર્ષ

d)

D) 2 વર્ષ

76.

​76. અંગ્રેજ શાસન દરમિયાન ભારતીય હસ્તકલા ઉદ્યોગો પડી ભાંગ્યા, તેનું મુખ્ય કારણ?

a)

 A ભારતીય કારીગરો આળસુ હતા

b)

B) ઈંગ્લેન્ડથી આવતો યંત્ર બનાવટનો માલ સસ્તો હતો અને તેના પર ઓછી જકાત હતી

c)

C) ભારતીય માલ ખરાબ હતો

d)

D) ભારતમાં કાચો માલ નહોતો

77.

​77. 1857 ના વિપ્લવમાં શિક્ષિત વર્ગે ભાગ કેમ ન લીધો?

a)

A) તેઓ અંગ્રેજોથી ડરતા હતા

b)

B) તેઓ માનતા હતા કે અંગ્રેજી શાસનથી ભારતનું આધુનિકીકરણ થશે (જે એક ભ્રમ હતો)

c)

C) તેમને લડતા નહોતું આવડતું

d)

D) તેઓ વ્યસ્ત હતા

78.

​78. ગાંધીજીએ 'ખાદી' ને આઝાદીનું પ્રતીક કેમ બનાવ્યું?

a)

A) ખાદી સસ્તી હતી

b)

B) વિદેશી કાપડનો બહિષ્કાર કરી સ્વદેશી ઉદ્યોગ અને આત્મનિર્ભરતા વધારવા

c)

C) ખાદીમાં ઠંડી ઓછી લાગે

d)

D) તેમને ખાદી ગમતી હતી

79.

​79. નકશામાં 'ઔદ્યોગિક પ્રદેશ' દર્શાવવા કયા રંગનો ઉપયોગ વધુ યોગ્ય ગણાય? (પ્રતિકાત્મક)

a)

A) લીલો

b)

B) ભૂરો

c)

C) કથ્થાઈ/કાળો

d)

D) પીળો

80.

​80. જો પૃથ્વી પરથી બધું જ ખનિજ તેલ ખૂટી જાય તો?

a)

A) પ્રદૂષણ વધી જાય

b)

B) વાહન વ્યવહાર અને ઉદ્યોગો ઠપ થઈ જાય

c)

C) સાયકલ સસ્તી થાય

d)

D) કઈ ફેર ન પડે

81.

​81. બાળલગ્ન પ્રતિબંધક ધારો હોવા છતાં બાળલગ્નો થાય છે, આ શું સૂચવે છે?

a)

A) કાયદા નબળા છે

b)

B) સામાજિક જાગૃતિનો અભાવ છે

c)

C) બાળકોને લગ્ન ગમે છે

d)

D) સરકાર ધ્યાન આપતી નથી

82.

​82. સંયુક્ત રાષ્ટ્રો (UN) નું સૌથી શક્તિશાળી અંગ કયું છે?

a)

A) સામાન્ય સભા

b)

B) સલામતી સમિતિ (Security Council)

c)

C) સચિવાલય

d)

D) વાલીપણા સમિતિ

83.

​83. ભારતમાં ન્યાયતંત્ર 'સ્વતંત્ર' છે એટલે શું?

a)

A) તે કોઈના (સરકાર કે મંત્રીના) દબાણ હેઠળ કામ કરતું નથી

b)

B) તે અલગ મકાનમાં છે

c)

C) જજ પોતાની મરજી મુજબ કરે

d)

D) તેનો કોઈ પગાર નથી

84.

​84. પર્યાવરણ સુરક્ષા માટે '3R' નો સિદ્ધાંત શું છે?

a)

A) Read, Write, Remember

b)

B) Reduce, Reuse, Recycle

c)

C) Run, Rest, Repeat

d)

D) Right, Ring, Road

85.

​85. વિશ્વમાં કયા દેશે સૌપ્રથમ લેખિત બંધારણ બનાવ્યું?

a)

A) ભારત

b)

B) બ્રિટન

c)

C) અમેરિકા (USA)

d)

D) રશિયા

86.

​86. જો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે, તો વહીવટ કોણ સંભાળે?

a)

A) મુખ્યમંત્રી

b)

B) રાષ્ટ્રપતિ વતી રાજ્યપાલ

c)

C) હાઈકોર્ટના જજ

d)

D) લશ્કર

87.

​87. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો જોઈએ કારણ કે...

a)

A) તે મોંઘું છે

b)

B) તે જૈવ-અવિઘટનીય (Non-biodegradable) છે અને પ્રદૂષણ ફેલાવે છે

c)

C) તે દેખાવમાં ખરાબ છે

d)

D) તે વજનમાં હલકું છે

88.

​88. ખેતીમાં 'હરિયાળી ક્રાંતિ' (Green Revolution) થી શું ફાયદો થયો?

a)

A) બધા ખેતરો લીલા થઈ ગયા

b)

B) અનાજના ઉત્પાદનમાં ભારત સ્વાવલંબી બન્યું

c)

C) જંગલો વધ્યા

d)

D) વરસાદ વધ્યો

89.

​89. જમીનનું ધોવાણ અટકાવવા કયો ઉપાય શ્રેષ્ઠ છે?

a)

A) વધુ પાણી પાવું

b)

B) વૃક્ષારોપણ કરવું (વૃક્ષો વાવવા)

c)

C) ખેતર ખુલ્લું રાખવું

d)

D) રાસાયણિક ખાતર નાખવું

90.

​90. 'આઝાદ હિંદ ફોજ' નું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું?

a)

A) રાસબિહારી બોઝ

b)

B) સુભાષચંદ્ર બોઝ

c)

C) કેપ્ટન મોહનસિંઘ

d)

D) ગાંધીજી

91.

​91. લોક અદાલતનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે?

a)

A) ઝડપી અને બિનખર્ચાળ ન્યાય આપવો

b)

B) લોકોને ભેગા કરવા

c)

C) કાયદા ભણાવવા

d)

D) પોલીસને મદદ કરવી

92.

​92. માનવ વિકાસ આંક (HDI) માં કઈ બાબત ધ્યાનમાં લેવાતી નથી?

a)

A) અપેક્ષિત આયુષ્ય

b)

B) શિક્ષણ

c)

C) આવક

d)

D) જાતિ (Caste)

93.

​93. કયા સત્યાગ્રહને 'ધર્મયુદ્ધ' નું નામ આપવામાં આવ્યું હતું?

a)

A) ચંપારણ

b)

B) અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ

c)

C) ખેડા સત્યાગ્રહ

d)

D) બારડોલી સત્યાગ્રહ

94.

​94. રવિ પાક એટલે શું?

a)

A) ચોમાસામાં લેવાતો પાક

b)

B) શિયાળામાં લેવાતો પાક

c)

C) ઉનાળામાં લેવાતો પાક

d)

D) રવિવારે લેવાતો પાક

95.

​95. 'વસુધૈવ કુટુંબકમ્' ની ભાવના કયો દેશ વિશ્વને આપે છે?

a)

A) ચીન

b)

B) અમેરિકા

c)

C) ભારત

d)

D) પાકિસ્તાન

96.

​96. 'ગરીબી' એ કેવી સમસ્યા છે?

a)

A) ગુણાત્મક

b)

B) માત્ર આર્થિક

c)

C) સામાજિક

d)

D) B અને C બંને

97.

​97. સંસદ સભ્યને અંગ્રેજીમાં શું કહેવાય?

a)

A) MLA

b)

B) MP (Member of Parliament)

c)

C) CM

d)

D) PM

98.

​98. આપણા રાષ્ટ્રધ્વજમાં રહેલું 'અશોક ચક્ર' શું સૂચવે છે?

a)

A) યુદ્ધ

b)

B) પ્રગતિ અને ગતિશીલતા

c)

C) શાંતિ

d)

D) હરિયાળી

99.

​99. કયા મુઘલ બાદશાહે અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી આપી હતી?

a)

A) અકબર

b)

B) જહાંગીર

c)

C) શાહજહાં

d)

D) ઔરંગઝેબ

100.

​100. ઇતિહાસ જાણવા માટે 'વર્તમાનપત્રો' કઈ રીતે ઉપયોગી છે?

a)

A) તે સસ્તા હોય છે

b)

B) તે જે-તે સમયની રાજકીય અને સામાજિક સ્થિતિ દર્શાવે છે

c)

C) તે પસ્તીમાં વેચી શકાય છે

d)

D) તે કાગળના બનેલા છે