Search Header Logo
Kshiti Patel

Kshiti Patel

Assessment

Presentation

Arts

7th Grade

Easy

Created by

Kshiti Patel

Used 29+ times

FREE Resource

9 Slides • 13 Questions

1

media

નિબંધલેખન

media

2

media

આજે આપણે પ્રવૃત્તિઓ અને વાર્તાના માધ્યમથી નિબંધલેખન કરીશું.

3

Poll

Question image

તમે આ વર્ષે હોળીની ઉજવણી કરી?

હા

હાસ્તો,વળી!

એકદમ, પાક્કીવાળી

4

Poll

Question image

હોળીની પ્રદક્ષિણા કેટલી વાર કરી?

ત્રણ

પાંચ

સાત

5

Poll

Question image

ધુળેટીના દિવસે તમે શું કર્યું?

જૂનાં કપડાં પહેરીને સોસાયટીમાં ધુળેટી રમવા ગયા.

છુપાઈને મિત્રો પર

પાણીના ફુગ્ગા ફેંક્યા.

બંને

6

Multiple Choice

Question image

હોળી કઈ ઋતુમાં, કયા મહિનામાં ઉજવવામાં આવે છે?

1

શિયાળામાં, ફેબ્રુઆરી

2

ઉનાળામાં, માર્ચ

3

ચોમાસામાં, જૂન

7

Multiple Choice

Question image

હોળીનો ઉત્સવ મનાવવા પાછળ જે પૌરાણિક કથા છે તેમાં વિષ્ણુ ભગવાનના ભક્તનું નામ શું છે?

1

અષ્ટાવક્ર

2

ઉપમન્યુ

3

પ્રહલાદ

8

media

હવે તમને ચપચારકુટ તહેવાર વિશે વાત કરું અને પછી તમારે આ તહેવાર વિશે દસ વાક્યોમાં લખવાનું છે.

9

10

Open Ended

ચપચારકુટ તહેવાર પર નિબંધ લખો.

11

Poll

સૌપ્રથમ તમે ભારતમાં ઉજવાતા તહેવારો વિશે વાત કરી?

હા

ના

12

Poll

ચપચારકુટ ક્યાં ઉજવાય છે તે વિશે લખ્યું?

હા

ના

13

Poll

ચપચારકુટની શરૂઆત કેવી રીતે થઈ મનાય છે તે જણાવ્યું?

હા

ના

14

Poll

ચપચારકુટ પુનઃજીવિત થતા ઉજવણીમાં શું બદલાવ આવ્યા?

હા

ના

15

Poll

આ તહેવારની ઉજવણી પાછળનાં કારણ જણાવ્યાં?

હા

ના

16

Poll

વર્તમાન સમયમાં આ તહેવારની ઉજવણી કેવી રીતે થાય છે તે લખ્યું?

હા

ના

17

media

હવે તમે અગાઉ જોયેલો વિડીયો ફરી જોવાના છો જેમાં તમારે ધ્યાનથી જોવાનું છે કે તમે તમારા નિબંધમાં કયા મુદ્દા લખવાનું ચૂકી ગયા ...

18

19

Open Ended

તમે લખેલા નિબંધમાં જે મુદ્દા રહી ગયા હોય તેને અહીં લખો.

20

​નિબંધ

  • ભારત, આપણો દેશ વિવિધતામાં એકતાનું પ્રતીક છે. આપણા દેશમાં અનેક સંસ્કૃતિઓનું જોડાણ જોવા મળે છે. સંસ્કૃતિમાં ધાર્મિક અને પ્રાદેશિક બંને પરિબળોની અસર જોવા મળે છે. સંસ્કૃતિમાં આવતા ઘણા .... માંથી એક એટલે તહેવાર. ભારતમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે જેવા કે હોળી, ઉત્તરાયણ, નવરાત્રી, નાતાલ, ઈદ, બિહુ ઓણમ વગેરે... આવો જ એક તહેવાર એટલે ચપચારકુટ.

  • ચપચારકુટ એ ભારતના ઉત્તરપૂર્વમાં આવેલા મિઝોરમ રાજ્યના મિઝો લોકોના પ્રમુખ તહેવારોમાંથી એક છે. ચપચારકુટની શરૂઆત આજથી આશરે ૬૦૦૦-૭૦૦૦ વર્ષ પહેલાં સુઇપુઈ ગામમાં થઈ હતી. આ તહેવાર મૂળભૂત રીતે ત્યારે શરૂ થયો જ્યારે ગામના લોકો શિકારે ગયા પરંતુ ખાલી હાથે પાછા ફર્યા. તેમની નિરાશાને દૂર કરવા માટે ગામના વડાએ મિજબાનીનું આયોજન કર્યું અને ત્યારથી આ ઉત્સવનું પુનરાવર્તન થતું ગયું અને અન્ય ગામમાં પણ આનું પ્રસરણ થયું.

21

​​ નિબંધ

  • ​ ઈ. સ. ૧૯૬૨માં આઈઝોલમાં ચપચારકુટને મોટા પાયે પુનઃ જીવિત કરવામાં આવ્યો. પરંતુ પ્રથામાં પરિવર્તન આવી જતાં સંસ્કૃતિની લુપ્ત થવાના પ્રશ્ન ઉભા થયા. પહેલાં જે પ્રકારની ખાણી પીણી સાથેની ખ્રિસ્તી ધર્મ મુજબની ઉજવણી હતી તે હવે ન રહી પરંતુ નિરાશા દૂર કરવાનો મૂળભૂત વિચાર ન બદલાયો. વર્તમાન સમયમાં ચપચારકુટ માર્ચ મહિનામાં ઉજવાય છે જે કૃષિચક્રના ત્રણ અલગ અલગ તબક્કાઓને દર્શાવવા માટે ઉજવવામાં આવે છે.

  • ચપચાર એટલે વસંતઋતુમાં બાળવા માટે જે વાંસ કાપેલા હોય તેને સૂરજના માધ્યમથી સૂકવવામાં આવે અને કુટ એટલે તહેવાર. આ તહેવાર જંગલ સાફ કરતી વખતે લોકોને નુકશાનથી બચાવવા માટે ભગવાનનો આભાર માનવા માટે થાય છે. મિઝો લોકો પરંપરાગત રંગબેરંગી પોશાક પહેરે છે જેને અહીંયાની ભાષામાં ' પુઆંચેં ' કહેવાય છે જે મોતી અને પોપટની પાંખોથી બનેલા હોય છે અને માથે ટોપી હોય છે તથા પગરખાં હોતા નથી. 

  •  આ ઉત્સવની ઉજવણીમાં ચેરાવ નૃત્ય થાય છે જેમાં પુરુષો જમીન પર બેસે છે અને વાંસ ફેરવે છે જેની પર સ્ત્રીઓ નૃત્ય કરે છે. કલા, હસ્તકલા અને ફોટો પ્રદર્શન, ચપચારકુટ રન, મિઝો પરંપરાગત રમતો વગેરેનું પણ આયોજન થાય છે.

22

media

​સ્વાધ્યાય

નમૂના તરીકેના નિબંધ આધારિત, તમારા મુદ્દાઓને યોગ્ય ક્રમમાં ગોઠવો.​

media

નિબંધલેખન

media

Show answer

Auto Play

Slide 1 / 22

SLIDE