wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Chapter 8

Total questions: 25

Worksheet time: 25mins

Name
Class
Date
1.

જમીન નું નિર્માણ મૂળ ખડકો ના______ મળવા વાળા પદાર્થોથી થાય છે.

a)

ખવાણ અને ઘસારાથી

b)

સ્થળાંતર અને સ્થગિતતા

c)

અનુક્રમ અને વિક્રમ થી

d)

ઉર્જા અને શીર્ષથી

2.

નીચે આપેલા વર્ણનના આધારે જમીનનો પ્રકાર ઓળખાવો.

1)આ જમીનમાં પોટાશ ,ફોસ્ફરિક એસિડ ,અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે.

2)આ જમીનમાં નાઈટ્રોજન અને યુ મસ

માત્રા માત્રા ઓછી હોય છે

3)આ જમીન ઘઉં-ચોખા ,શેરડી, શણ ,કપાસ ,મકાઇ, તેલીબીયા જેવા પાકો માટે અનુકૂળ છે.

a)

કાપની જમીન

b)

કાળી જમીન

c)

રાતી જમીન

d)

પડખાઉ જમીન

3.

ભૂમિ ધોવાણ અટકાવવા માટે કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા તે પૈકી ક્યો નિર્ણય અયોગ્ય હોઇ શકે?

a)

પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું.

b)

પશુઓ દ્વારા થતું ચરણ અટકાવવું નહીં.

c)

ઢાળવાળા ખેતરમાં ઊંડી ખેડ કરવી.

d)

પર્વતીય ક્ષેત્રમાં પગથિયાની તરફથી વાવેતર કરવું.

4.

નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે?

a)

NDDB

b)

GUJCOMASOL

c)

DARE

d)

ICAR

5.

કઈ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુકાઈ જાય ત્યારે સખત બની જાય છે?

a)

કાપની જમીન

b)

કાળી જમીન

c)

રાતી જમીન

d)

પડખાઉ જમીન

6.

લેટેરાઈટ જમીન ફળદ્રુપ હોય છે.

a)

આ વિધાન ખરું છે

b)

આ વિધાન ખોટું છે

7.

1)કાપની જમીન a)19%

2)કાળી જમીન b)43%

3)રાતી જમીન c)15%

a)

1-b,2-c,3-a

b)

1-c,2-a,3-b

c)

1-c,2-b,3-a

8.

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

a)

કાળી જમીનમાં ભેજ સંગ્રહ શક્તિ વધુ હોય છે.

b)

સુ કી અને ભેજવાળી આબોહવા ના પરિવર્તનથી તથા પદાર્થોના નિવારણ થી કાળી જમીન નું નિર્માણ થાય છે.

c)

કાળી જમીનમાં ચૂનો કેલ્શિયમ પોટાશ એલ્યુમિનિયમ તથા મેગ્નેશિયમ કાર્બોનેટ નું પ્રમાણ વધુ હોય છે.

d)

કાળી જમીન સુકાઈ જાય ત્યારે તેમાં તિરાડ કે ચીરા પડી જાય છે.

9.

જમીન ધોવાણ માટે નીચે પૈકી કયું પરિબળ જવાબદાર ન ગણી શકાય?

a)

વન્યપ્રાણી જીવન

b)

વહેતું જળ

c)

પવન

d)

પશુઓ થકી થતું ચરણ

10.

નીચેના પૈકી ક્યું વિધાન ખોટું છે?

a)

કાળી જમીન ઉચ્ચ પ્રદેશની ભેટ છે.

b)

પડખાઉ જમીન ની લાલ રેતી ના પથ્થરોમાં લોહ અને એલ્યુમિનિયમના તત્વો હોય છે.

c)

રાતી જમીનમાં ચૂનો ,મેગ્નેશિયમ ,ફોસ્ફેટ ,નાઇટ્રોજન ,પોટાશ ની ઉણપ હોય છે.

d)

કાપની જમીન રેગુર જમીન તરીકે પણ ઓળખાય છે

11.

જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવાયેલા વ્યવસ્થાપન ને શું કહે છે?

a)

તેની વૃદ્ધિ કહે છે.

b)

તેની માવજત કહે છે.

c)

તેની જીવાદોરી કહે છે.

d)

તેનું સંરક્ષણ કહે છે.

12.

જે સંસાધનો મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેનું શું કરવું જોઈએ?

a)

તેવા સંસાધનો જાળવી રાખવા જોઈએ.

b)

ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી તેને સાચવવા જોઈએ.

c)

તેની વિશેષતાઓ વિશે જાણકારી મેળવવી જોઈએ.

d)

તેવા સંસાધનોનો નાશ કરવો જોઈએ.

13.

ભૂમિ ,જળ ,ગોચર વગેરે વિતરણ ક્ષેત્ર મુજબ કયા પ્રકારનું સંસાધન

કહેવાય?

a)

સામાન્ય સુલભ સંસાધન

b)

એકલ સંસાધન

c)

સર્વ સુલભ સંસાધન

d)

વિરલ સંસાધન

14.

જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણ છે તેનું શું કરવું જોઈએ?

a)

વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ.

b)

વિકાસ માટે પ્રયત્નો કરવા જોઈએ.

c)

ભાવી જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા.

d)

તેવા સંસાધનોને જાળવી રાખવા જોઈએ.

15.

કાપની જમીન નું નિર્માણ કોને આભારી છે?

a)

ફેરિક ઓક્સાઈડ ને

b)

સિલિકા મય પદાર્થોને

c)

લાવાઇક ખડકોને

d)

નદીઓના નિક્ષેપિત કાપને

16.

જંગલો માંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો કયા પ્રકારનું સંશોધન કહેવાય?

a)

કાચા માલના સ્ત્રોત સંસાધન.

b)

ખોરાક તરીકે નું સંશોધન.

c)

શક્તિ સંસાધન.

d)

પૂરક સંસાધન.

17.

લશ્કર ,આંતરરાષ્ટ્રીય વેપાર વગેરે માલિકીની દ્રષ્ટિએ કેવું સંસાધન કહેવાય?

a)

રાષ્ટ્રીય

b)

આંતરરાષ્ટ્રીય

c)

વ્યક્તિગત

d)

વૈશ્વિક

18.

જમીન એ પૃથ્વી ના પોપડા પરના અનેક વિધ કણો થી બનેલ એક પાતળું પડ છે.

a)

આ વિધાન ખરું છે.

b)

આ વિધાન ખોટું છે.

19.

નીચે આપેલા વર્ણનને આધારે જમીનનો પ્રકાર ઓળખો.

1) આ જમીનમાં ચૂનો ,મેગ્નેશિયમ ,નાઇટ્રોજન અને પોટાશ ની ઉણપ જોવા મળે છે.

2) આ જમીનમાં ચૂનો, કાંકરા ,અને કાર્બોનેટ મળી આવતા નથી.

3) આ જમીન બાજરી, કપાસ, ઘઉં જુવાર અળસી ,મગફળી ,બટાટા, વગેરે પાકો માટે અનુકૂળ છે.

a)

કાપની જમીન

b)

રાતી જમીન

c)

કાળી જમીન

d)

પડખાઉ જમીન

20.

કુદરતમાં હજારો તત્વો પડેલા છે તે સંસાધન કહી શકાય.

a)

આ વિધાન ખરું છે.

b)

આ વિધાન ખોટું છે.

21.

નીચેનામાંથી જમીન ધોવાણ અટકાવવા માં ઉપયોગી નથી.

a)

જમીન પર ચરણ પ્રવૃત્તિઓને નિયંત્રણમાં લેવી.

b)

પડતર જમીનમાં વૃક્ષોનું વાવેતર કરવું.

c)

ખેતરમાં ઊંડી ખેડ કરવી.

d)

નદીઓના પૂર ને અન્ય નદીઓમાં વાળીને કે સૂકી નદીઓ ભરી અંકુશમાં લેવા જોઈએ.

22.

કુદરતી સંસાધન માં ક્યા ગુણધર્મ હોવા જરૂરી છે?

a)

ઉપયોગીતા.

b)

કાર્ય કરવાની યોગ્યતા.

c)

આપેલ તમામ.

23.

જમીન નિર્માણ આ સમયગાળાના સંદર્ભે જે તે આબોહવા ની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે કે તે આબોહવા વાળા પ્રદેશમાં વિભિન્ન પ્રકારના ખડકો માંથી બનતી જમીન લાંબા સમયગાળે એક જ પ્રકારની હોય છે.

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.

24.

જેના પ્રાપ્તિસ્થાન મર્યાદિત હોય તેવા ખનીજો ક્યા સંસાધન બને છે?

a)

વિરલ સંસાધન

b)

એકલ સંસાધન

c)

સર્વ સુલભ સંસાધન

d)

સામાન્ય સુલભ સંસાધન

25.

કાળી જમીન ને કપાસ ની જમીન પણ કહે છે.

a)

આ વિધાન સાચું છે.

b)

આ વિધાન ખોટું છે.