NEW
Font size
WorksheetsISTD 1201 Iacc Account ભાગીદારી વિષય પ્રવેશ
Total questions: 22
Worksheet time: 11mins
ભાગીદારની મુડી પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
કઈ પદ્ધતિમાં મૂડીની રકમ બદલાતી હોવાથી મૂડીનું વ્યાજ દર વર્ષે બદલાતું રહે છે?
અસ્થિર મૂડી ખાતાની પદ્ધતિ
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ
ચાલુ ખાતાની પધ્ધતિ
આપેલ પૈકી એક પણ નહિ
હંગામી મૂડી પ્રથામાં ભાગીદારના ભાગનો નફો ક્યા ખાતે કઈ બાજુ લખાય?
મૂડી ખાતે ઉધાર
મૂડી ખાતે જમા
ચાલુ ખાતે ઉધાર
ચાલુ ખાતે જમા
જો સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ હોય, તો ઉપાડ ખાતું બંધ કરી વર્ષના અંતે ક્યાં ખાતે લઇ જવામાં આવે છે?
મૂડી ખાતે
ચાલુ ખાતે
નફા-નુકસાન ખાતે
નફા-નુકસાન ફાળવણી ખાતે
ભાગીદારના ચાલુ ખાતાની ઉધાર બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
ભાગીદારોના ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે શું છે?
ખર્ચ
દેવું
આવક
નુકસાન
નફા-નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાકી એટલે ....................
કાચો નફો
કાચી ખોટ
વહેંચણીપત્ર નફો
વહેંચણીપત્ર ખોટ
જો ભાગીદારી કરારનામામાં મૂડી પર વ્યાજની જોગવાઈ કરવામાં ન આવી હોય, તો કેટલા ટકા વ્યાજ આપવું?
6%
9%
12%
કઈ નહિ
જો ભાગીદારી કરારપત્રમાં સ્પષ્ટતા ન હોય, તો પેઢીને ભાગીદારે ધીરેલી લોન પર કેટલા ટકા વ્યાજ ગણાય?
6%
9%
12%
કઈ નહિ
A, B અને Cની મૂડીનું પ્રમાણ 3:2:1 હોય અને વર્ષનો વહેંચણીપાત્ર નફો રૂ. 66,000 હોય, તો Cને કેટલો નફો મળે?
રૂ. 11,000
રૂ. 22,000
રૂ. 33,000
રૂ. 66,000
વિભાગ-B
!
!
!
!
ભાગીદારી એટલે શું?
જે વ્યક્તિઓ ભાગીદારીમાં જોડાય તેઓ વ્યક્તિગત રીતે "ભાગીદાર"( Partner ) કહેવાય.
!
!
!
ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય છે?
ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા 2 અને વધુમાં વધુ 50 ભાગીદારો હોય છે.
!
!
!
ભાગીદારી કરારનામુંએ પેઢીનું શું ગણાય?
ભાગીદારી કરારનામુંએ ભાગીદારી પેઢીનું વહીવટી બંધારણ છે.
!
!
!
ભાગીદારી કરારનામું તૈયાર કરવાનો હેતુ જણાવો.
ભાગીદારો વચ્ચે ઊભા થતા મતભેદો કે પ્રશ્નોના નિરાકરણ માટે કરારનામું મહત્ત્વનું છે. કરારનામામાં કરેલ જોગવાઈ અનુસાર ભાગીદારોના પ્રશ્નોના ઉકેલ લાવી શકાય છે.
!
!
!
ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય, તો વહીવટી પ્રશ્નોનો નિકાલ કઈ રીતે થાય છે?
ભાગીદારો વચ્ચે લેખિત કરાર ન હોય, તો વહીવટી પ્રશ્નોનો નિકાલ 1932ના ભારતીય ભાગીદારી કાયદાઓની જોગવાઈઓ મુજબ થાય છે.
!
!
!
ભાગીદારી પેઢીમાં ભાગીદારોનાં મૂડી ખાતાં રાખવાની પદ્ધતિઓ જણાવો.
ભાગીદારી પેઢીમાં ભાગીદારોના મૂડી ખાતાં રાખવાની બે પધ્ધતિઓ છે. ( 1 ) સ્થિર ( કાયમી ) મૂડી પદ્ધતિ અને ( 2 ) અસ્થિર ( હંગામી ) મૂડી પદ્ધતિ.
!
!
!
સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ક્યા ખાતે જમા કરવામાં આવે છે?
સ્થિર મૂડી પ્રથામાં ભાગીદારનો નફો ભાગીદારના ચાલુ ખાતે જમા કરવામાં આવે છે.
!
!
!
સ્થિર મૂડી ખાતાંની પદ્ધતિ અમલમાં હોય, ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે કયા ખાતે જમા થાય છે?
સ્થિર મૂડી ખાતાની પદ્ધતિ અમલમાં હોય, ત્યારે ભાગીદાર વધારાની મૂડી કાયમી ધોરણે લાવે તો તે સ્થિર મૂડી ખાતે જમા થાય છે.
!
!
!
જો ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી હોય, તો પાકા સરવૈયામાં કઈ બાજુએ દર્શાવવામાં આવે છે?
જો ભાગીદારના ચાલુ ખાતાંની ઉધાર બાકી હોય, તો પાકા સરવૈયામાં મિલકત-લેણાં બાજુએ દર્શાવવામાં આવે છે.
!
!
!
વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરી મૂડી ખાતે લઈ જવાની આમનોંધ લખો.
વર્ષના અંતે ભાગીદારનું ઉપાડ ખાતું બંધ કરવાની નોંધ નીચે મુજબ થશે :
ભાગીદારના મૂડી/ચાલુ ખાતે ઉ. ..............
તે ભાગીદારના ઉપાડ ખાતે .................
(બા. જે. ભાગીદારના ઉપાડ ખાતાની બાકી મૂડી/ચાલુ ખાતે લઈ ગયા તેના)
!
!
!
નફા-નુકસાન ફાળવણી ખાતુંએ કયા ખાતાંનો જ એક ભાગ છે?
નફા-નુકસાન ફાળવણી ખાતુંએ નફા-નુકસાન ખાતાંનો જ એક ભાગ છે.
!
!
!
