Font size
Worksheetsસત્સંગ સૌરભ ભાગ ૨: હેવા ટળે ખરા !!
Total questions: 8
Worksheet time: 5mins
ભક્તરાજ સુરાખાચરના ભાવ ભર્યા આગ્રહથી શ્રીજી મહારાજ ગઢપુરથી કયા પધાર્યા હતા?
લોયા અને સાળંગપુર
લોયા અને નાગડકા
સાળંગપુર અને નાગડકા
લોયા અને કારયાણી
'દરબાર, એક લાંબો વાંસડો લાવો તો આ જાતવાન ઘોડીના પાટું મારવાના હેવા ટાળીએ.' કોણ બોલે છે કોને કહે છે
શ્રીજીમહારાજ બોલે છે અને સુરા ખાચરને કહે છે.
શ્રીજીમહારાજ બોલે છે અને સોમલા ખાચર ને કહે છે.
સુરા ખાચર બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે.
શ્રીજીમહારાજ બોલે છે અને દાદા ખાચર ને કહે છે.
'જુઓ, અમે તો આ ઘોડીના હેવા મેલાવવા વાંસ હાથમાં પકડયો છે તે જમવા કેવી રીતે આવીએ ? હા, જો કોઈ આ વાંસ પકડી ઘોડીને અડાડયા કરે તો વળી અમે જમવા આવીએ.' કોણ બોલે છે અને કોને કહે છે.
શ્રીજીમહારાજ બોલે છે અને સોમલા ખાચર ને કહે છે
સુરા ખાચર બોલે છે અને મૂળજી બ્રહ્મચારી ને કહે છે
શ્રીજીમહારાજ બોલે છે અને સુરા ખાચરને કહે છે
શ્રીજીમહારાજ બોલે છે અને મૂળજી બ્રહ્મચારીને કહે છે
' લાવો મહારાજ, વાંસ હું પકડું અને આપ થાળ જમવા પધારો.' કોણ બોલે છે અને કોને કહે છે
મૂળજી બ્રહ્મચારી બોલે છે અને શ્રીજીમહારાજ ને કહે છે
સુરા ખાચર બોલે છે અને શ્રીજીમહારાજને કહે છે
એક પાર્ષદ બોલે છે અને શ્રીજીમહારાજ ને કહે છે
એક પાર્ષદ બોલે છે અને સુરા ખાચર ને કહે છે
'ભગત, પાટું મારવાના હેવા ટળી ગયા માટે વાંસડો એક બાજુ મૂકી દીઓ.' કોણ બોલે છે અને કોને કહે છે
શ્રીજીમહારાજ બોલે છે અને પાર્ષદ ને કહે છે
પાર્ષદ બોલે છે અને સુરા ખાચર ને કહે છે
શ્રીજીમહારાજ બોલે છે અને મૂળજી બ્રહ્મચારી ને કહે છે
શ્રીજી મહારાજ બોલે છે અને સુરા ખાચર ને કહે છે
"હેવા ટળે ખરા" એ પ્રસંગ નો સાર શો છે?
ઘોડીની પેઠે ઘણા જીવનેય પોતાના નબળા સ્વભાવ ઝળકાવવાના ભારે હેવા પડી ગયા હોય છે.
મુમુક્ષુ જીવ જ્યારે નસીબ જોગે સાચા સંતના યોગમાં આવે ત્યારે સંત એની જડતા અને નબળા સ્વભાવોને રોકટોક રૂપી વાસડા વડે ટાળવા પ્રયાસ કરે.
મુમુક્ષુ હોય તે સંતોની રોકટોક સહન કરી પોતાના નબળા સ્વભાવને છોડી દીએ પણ માની હોય એ તો આવતો આળશી જાય.
જીવનમાં નડતરરૂપ નબળા સ્વભાવ કે હેવા ટાળ્યા ટળે છે. સામાન્ય દૈહિક દોષો થોડો પ્રયત્ન કરવાથી ટળી જાય છે.
આ પ્રસંગ પ્રમાણે નિષ્કુળાનંદ સ્વામીની જેમ કોની કડવાણી પોતાના યોગમાં આવેલ સાધુ તેમજ સતસંગીઓને આજ્ઞાપાલનમાં સદા સજાગ રાખતી.
શાસ્ત્રીજી મહારાજ
બ્રહ્માનંદ સ્વામી
પ્રેમાનંદ સ્વામી
શાંતાનંદ સ્વામી
જૂના સંતો આજ્ઞાપાલનમાં અને મર્યાદા પાલનમાં કેવા હતા?
જૂના સંતો આજ્ઞાપાલનમાં સુધા સાવધાન હતા.
સત્સંગની મર્યાદાનું કડકપણે પાલન કરતા ને કરાવતા.
કોઈનોય લલોચપો રાખતા નહિ
જગતમાં મોટા ગણાતા હોય એની શેહશરમમાં લેવાઈ જતા નહિ.
