wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 PART 6

Total questions: 23

Worksheet time: 12mins

Name
Class
Date
1.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે હિતસંબંધ ધરાવતો હોય ત્યારે સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ગેરલાયક ઠરે નહીં?

a)

કોઈ સ્થાવર મિલકતના પટ્ટા વેચાણ ખરીદીમાં કે કોઈ બાબતની કબુલાતમાં હિત સંબંધ ધરાવતી હોય અને હોદ્દો સ્વીકારતા પહેલા રાજ્ય સરકારની મંજૂરી મેળવેલી હોય

b)

કોઈ જોઈન સ્ટોક કંપની અથવા મુંબઈ સહકારી મંડળી અધિનિયમ 1925 મુજબ નોંધાયેલી મંડળી સ્કુલ બોર્ડ અથવા સ્થાનિકતા મંડળ સાથે કરાર કરે, કુલ બોર્ડ કામે રાખે અથવા તેના વતી કામ કરે અથવા મંડળીનો કોઈ ભાગ હિત સંબંધ ધરાવતો હોય

c)

વર્પતમાનપત્રમાં ભાગ અથવા હિત સંબંધ ધરાવતો હોય

d)

તમામ સાચા છે

2.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ વેચાણ કંપની સાથે હિત સંબંધ ધરાવતી વ્યક્તિ હોય પરંતુ વેચાણ કેટલા રૂપિયાથી વધુ નહીં અને રાજ્ય સરકારની મંજૂરી હોય તો કેટલા રૂપિયાથી વધુ નહીં હિત સંબંધ ધરાવનાર વ્યક્તિ સ્કૂલ બોર્ડ સભ્ય તરીકે ગેરલાયક ગણી શકાય નહીં

a)

50-200

b)

500-2000

c)

500-5000

d)

300-3000

3.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કોઈ સરકારી વર્ષમાં કેટલા રૂપિયાથી વધે નહીં અથવા રાજ્ય સરકારની મંજૂરીથી કેટલા રૂપિયાથી વધે નહીં તેવી વધુ રકમ સ્કૂલ બોર્ડ અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળ આ અર્થે નક્કી કરેલી રકમ માટે ચીજ સ્કૂલ બોર્ડને અથવા ચૂંટણી કરનાર સ્થાનિક સત્તા મંડળને પ્રસંગોપાત ભાડે આપવામાં અથવા તેની પાસેથી ભાડે લેવામાં ભાગ અથવા એ જ સંબંધ ધરાવતી હોય તો તે વ્યક્તિ સભ્ય તરીકે ઘેર લાયક ગણાશે નહીં

a)

50-200

b)

500-2000

c)

50-100

d)

500-1000

4.

મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ હિતસંબંધ ધરાવતી કઈ વ્યક્તિ ગેરલાયક ગણાશે નહીં?

a)

પોલીસ પટેલ હોય

b)

સ્થાનિકતા મંડળના નિયંત્રણ હેઠળના ગામના ઢોર પુરવાના ડબ્બાનો ડબ્બાવાળો હોય

c)

લોનનું ડિબેન્ચર ધરાવતું હોય અથવા બીજી રીતે હિત સંબંધ ધરાવતી વ્યક્તિ હોય

d)

આપેલા તમામ

5.

પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ ચૂંટણીને લગતી તકરાર માટે કયો વ્યક્તિ જિલ્લા ન્યાયાધીશ ને અરજી કરી શકશે?

a)

ચૂંટણીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવાર

b)

ચૂંટણીમાં મત આપવા માટે લાયક હોય એવી કોઈ પણ વ્યક્તિ

c)

ચૂંટણીમાં નિષ્ફળ ગયેલ ઉમેદવાર અથવા તે ચૂંટણીમાં મત આપવાને લાયક હોય એવી કોઈ પણ વ્યક્તિ બંને

d)

કોઈપણ વ્યક્તિ જે ભારતનો નાગરિક હોય

6.

અધિનિયમ 1947 મુજબ ચૂંટણીના કાયદેસરપણા અંગેની તકરારમાં જિલ્લા ન્યાયાધીશને અરજી કેટલા સમયગાળામાં થઈ શકે?

a)

ગમે ત્યારે

b)

ચૂંટણીના પરિણામ જાહેર થયાની તારીખથી 15 દિવસની અંદર

c)

ચૂંટણીનું પરિણામ જાહેર થયાના 30 દિવસની અંદર

d)

તકરાર અંગેની ફરિયાદ કરી શકાતી નથી

7.

અધિનિયમ 1947 ની કલમ 6 અંતર્ગત ચૂંટણીના કાયદેસરપણા અંગે પ્રશ્ન થાય ત્યારે તે અંગેની તપાસ કોણ કરી શકે?

a)

માત્ર જિલ્લા ન્યાયાધીશ પોતે જ

b)

મદદનીશ ન્યાયાધીશથી ઉતરતી કક્ષાનો ન હોય એવો કોઈ પણ ન્યાયાધીશ

c)

ફોજદારી કોર્ટનો ન્યાયાધીશ

d)

આપેલા તમામ

8.

અધિનિયમ 1947 ની કલમ 6 મુજબ નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?

a)

ચૂંટણીના કાયદેસરપણા વિશે તકરાર હોય તો તે તમામ અરજીઓ એક જ ન્યાયાધીશ તે સાંભળવી અને એકી સાથે સાંભળવી

b)

જરૂરી તપાસ કર્યા પછીથી ચૂંટણીનું જાહેર થયેલું પરિણામ બહાલ રાખી શકાય અથવા તેમાં સુધારો પણ કરી શકાય અથવા ચૂંટણીનો રદ કરતો હુકમ પણ કરી શકાય

c)

જો ચૂંટણી રદ થાય તો તરત એક તારીખ નક્કી કરવામાં આવે અને નવી ચૂંટણી યોજવામાં આવે

d)

ચૂંટણી અંગેની તપાસ કરતો ન્યાયાધીશ ફોજદારી કોર્ટની સત્તા પૈકી કોઈ સત્તા વાપરી શકશે અને તેનો નિર્ણય નિર્ણાયક ગણાશે

9.

અધિનિયમ 1947 ની કલમ 6 મુજબ દીવાની કાર્યરીતિ અધિનિયમ 1908 માં ગમે તે મજકૂર હોય તેમ છતાં ન્યાયાધીશ...........ખોટું વિધાન જણાવો

a)

અરજીનો માંડવાળ કરવા દેશે નહીં

b)

અરજી પાછી ખેંચી લેવા દેશે નહીં

c)

કાર્યવાહીમાંના કોઈપણ પ્રતિપાદનમાં ફેરફાર અથવા સુધારો ક્યારેય કરવા દેશે નહીં

d)

કાર્યવાહીમાંના કોઈપણ પ્રતિપાદનમાં ફેરફાર અથવા સુધારો કરવા દેશે નહીં સિવાય કે તેને ખાતરી થાય કે અરજી ફેરફાર અથવા સુધારો શુદ્ધ બુદ્ધિથી કરવામાં આવેલ છે અને નિર્ણાયક નથી

10.

અધિનિયમ 1947 ની કલમ 6 મુજબ ન્યાયાધીશ ને જણાય કે ચૂંટણીના હેતુ માટે ઉમેદવારે ભ્રષ્ટાચારણ કર્યું છે તો....

a)

તે ઉમેદવાર ચૂંટાયો હોય તો ચૂંટણી રદ થાય

b)

તે ઉમેદવારને તે ચૂંટણી માટે ગેરલાયક ઠરાવવામાં આવે

c)

તે ઉમેદવારને નવી ચૂંટણીના હેતુ માટે ગેરલાયક ઠરાવવામાં આવે

d)

આપેલા તમામ સાચા છે

11.

અધિનિયમ 1947 ની કલમ 6 મુજબ કોઈ મત આપવા અથવા મેળવવામાં કોઈ પણ જાણીતી અથવા અજાણી વ્યક્તિ એ ભ્રષ્ટાચારણ કર્યું હોય એમ ન્યાયાધીશને જણાય તો......

a)

ચુંટણી રદ કરવામાં આવશે

b)

આવા મતને ગણતરીના હેતુ માટે માન્ય મત ગણવામાં આવશે નહીં

c)

નવેસરથી ફરીથી ચૂંટણી યોજવામાં આવશે

d)

જાણીતી કે અજાણી વ્યક્તિને દંડ કરવામાં આવશે

12.

પાછળથી જણાયેલા ચૂંટણી વગેરેના સમયની ગેર લાયકાત અંગેની કલમ કઈ છે?

a)

6

b)

7

c)

6 ક

d)

8

13.

સ્કૂલ બોર્ડ નો કોઈ સભ્ય પાંચ અથવા કલમ 9 ક ની જોગવાઈ મુજબ સભ્ય થવા માટે ગેરલાયક હોય તેમ પાછળથી જણાય તો....

a)

તે સભ્યને ગેરલાયક ગણવામાં આવશે અને તાત્કાલિક છૂટો કરવામાં આવશે

b)

આ અંગે પ્રશ્નનો નિર્ણય રાજ્ય સરકાર કરશે અને રાજ્ય સરકારનો નિર્ણય છેવટનો ગણાશે

c)

ન્યાયાધીશ દ્વારા તપાસ કરવામાં આવશે

d)

એક વખત ચૂંટાઈ ગયા પછીથી મુદત પૂરી ન થાય ત્યાં સુધી સભ્યને સભ્યપદ ચાલુ રાખવા દેવામાં આવશે

14.

અધિનિયમ 1947 ની કલમ 7 કઈ છે?

a)

ચૂંટણીના કાયદેસર પણાનો નિર્ણય ન્યાયાધીશ દ્વારા તપાસ અને કાર્યરીતિ

b)

સભ્ય થયા પછીની ગેર લાયકાત

c)

પાછળથી જણાયેલ ચૂંટણી વગેરેના સમયની ગેર લાયકાત

d)

ગેરલાયક સભ્ય તરીકે હાજરી આપવા અને મત આપવા માટે દંડ અંગેની જોગવાઈ

15.

સ્કૂલ બોર્ડના સભ્ય તરીકે ચાલુ રહેવાને વ્યક્તિ અસમર્થ ક્યારે ગણાશે?

a)

બોર્ડની મંજૂરી મેળવ્યા સિવાય સ્કૂલ બોર્ડની બેઠકોમાં ઉપરા ઉપરી ત્રણ મહિના દરમિયાન અથવા લાગ લગાટ ત્રણ બેઠકો એ બેમાંથી જે મુદત લાંબી હોય તે મુદત દરમિયાન ગેરહાજર રહે

b)

કલમ 5 અનુસાર કોઈ વ્યક્તિ ગેર લાયકાતને પાત્ર થાય

c)

કોઈ સ્થાવર મિલકત ના વેચાણ ખરીદીમાં હિત સંબંધ ધરાવતો હોય અને રાજ્ય સરકારની અગાઉથી મંજૂરી ન લીધી હોય

d)

તમામ સાચા છે

16.

અધિનિયમ 1947 ની કઈ કલમ ગેરલાયક સભ્ય હાજરી આપે અથવા મત આપે તો તે અંગેના દંડની જોગવાઈ માટેની છે?

a)

7

b)

7 ક

c)

8

d)

9

17.

અધિનિયમ 1947 ની કલમ 7 ક મુજબ કોઈ ગેરલાયક સભ્ય મત આપે તો તેને તે અંગે કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે?

a)

2 રૂપિયાથી વધે નહીં તેટલો

b)

50 રૂપિયા

c)

₹ 25

d)

8 આના

18.

અધિનિયમ 1947 ની કલમ 7 ક મુજબ ગેરલાયક સભ્ય સ્કૂલ બોર્ડની બે બેઠકોમાં હાજર રહે પાછળથી તેની ગેર લાયકાત સાબિત થાય તો કેટલા રૂપિયા દંડ ભરવો પડે?

a)

રૂપિયા 50

b)

સો રૂપિયા

c)

30 રૂપિયા

d)

25 રૂપિયા

19.

અધિનિયમ 1947 ની કલમ 7 મુજબ લાયક સભ્ય કુલ બોર્ડની બેઠકમાં હાજર રહે તો પ્રતિદિન કેટલા રૂપિયા દંડની જોગવાઈ છે?

a)

25 રૂપિયા

b)

બે રૂપિયા

c)

રૂપિયા 50

d)

દંડની કોઈ જોગવાઈ આ અધિનિયમમાં નથી

20.

અધિનિયમ 1947 ની કલમ 7 ક મુજબ ગેરલાયક સભ્ય સ્કૂલ બોર્ડની બેઠકમાં હાજર રહે અથવા મત આપે તો તે અંગે ના દંડ અંગે એની સામે અપીલ કોની સામે કરી શકાશે?

a)

જિલ્લા કલેકટરને

b)

સ્કુલ બોર્ડના અધ્યક્ષ ને

c)

રાજ્ય સરકારને

d)

જિલ્લા ન્યાયાધીશ ને

21.

કલમ 7 ક મુજબ દંડ થી નારાજ વ્યક્તિ દંડ અંગેના નિર્ણયથી કેટલા સમયમાં અપીલ કરી શકશે?

a)

7 દિવસ

b)

15 દિવસ

c)

1 માસ

d)

ત્રણ માસ

22.

અધિનિયમ 1947 ની કલમ 7 ક મુજબ સભ્યને દંડ થાય તો તે અંગે કયું વિધાન સાચું નથી?

a)

જમીન મહેસૂલની બાકી રકમ તરીકે આ દંડને વસૂલ કરી શકાશે

b)

કલેકટર આવી વ્યક્તિને જે પણ કહેવું હોય તે અંગે વ્યાજબી તક આપશે

c)

નારાજ વ્યક્તિ કલેકટરને અપીલ કરી શકશે

d)

દંડ અંગેનો રાજ્ય સરકારનો નિર્ણય આખરી ગણવામાં આવશે

23.

અધિનિયમ 1947 ની કલમ 7 મુજબ દંડ કોણ કરી શકશે?

a)

ન્યાયાધીશ

b)

કલેકટર

c)

સ્કૂલ બોર્ડ ના અધ્યક્ષ

d)

રાજ્રય સરકાર