wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

સત્સંગ સૌરભ ભાગ ૨: અંતર્યામીને અરજ - ૧૬

Total questions: 15

Worksheet time: 9mins

Name
Class
Date
1.

પ્રેમબાઈના પિતા નું નામ શું હતું અને એ ક્યા ગામ ના હતા?

a)

પ્રેમજી શેઠ, ઉના

b)

પ્રેમજી બખાઈ, પુના

c)

પ્રેમજી શેઠ, પુના

d)

પ્રેમજી બખાઈ, ઉના

2.

પ્રેમબાઈના લગ્ન કયા કુટુંબમાં થયા હતા?

a)

પોરબંદરના વૈષ્ણવ વણિક

b)

દીવબંદરના વૈષ્ણવ વણિક

c)

ઉનાના વૈષ્ણવ વણિક

d)

દીવબંદરના કાઠી દરબાર

3.

પ્રેમબાઈ બાવા થી કેમ આઘા જ રહેતા? (એક બે વાક્યમાં જવાબ આપો)

a)

દીવમાં સાસરાને ત્યાં કુળગુરુ તરીકે એક બાવાની આવજા રહેતી. પ્રેમબાઈ વિધવા થયા પછી પેલા બાવાએ એમના પર કુદૃષ્ટિ કરવા માંડી.

b)

પ્રેમબાઈને પોતાની અસરમાં લાવવા એણે પ્રયાસો આદર્યા

c)

પ્રેમબાઈ આ બાવાની આંખમાં રમતી વાસનાને જાણી ગયા હતાં

d)

પ્રેમભાઈ સ્વામિનારાયણ ભગવાનને માનતા હતા.

4.

શ્રી હરિએ પ્રેમબાઈ ના રક્ષણ માટે કોણે મોકલ્યા?

a)

સોમલા ખાચર

b)

સુરા ખાચર

c)

ભીમ સિંગ

d)

ભીમ ડાભી

5.

ઘરમાંથી તો બાવા સામે રક્ષણ મળે એમ પ્રેમબાઈને કેમ લાગ્યું નહિ?

a)

ઘરના બધા સાથે પ્રેમબાઈ નો ઝઘડો થયો હતો

b)

ઘરના બધા ડરપોક હતા

c)

બાવો ભારે ઢોંગી, દંભી અને પાછો કુળનો ગુરુ હોવાથી

d)

ઘરના બધા બાવા સાથે ભળી ગયા હતા

6.

પ્રેમબાઈએ રક્ષણ માટે કોને અંત:કરણથી પ્રાર્થના કરી?

a)

શ્રીજીમહારાજ ને

b)

શ્રીરામ ને

c)

કૃષ્ણ ભગવાનને

d)

હનુમાનજીને

7.

કોણ બોલે છે "બાવાજી, આવાં એલફેલ ભર્યા વચનો શા માટે બોલો છો ? સ્વામિનારાયણે તમારું શું બગાડયું છે?"

a)

સોમલા ખાચર

b)

ભીમ ડાભી

c)

સુરા ખાચર

d)

પ્રેમબાઈ

8.

બન્ને શૂરવીર પાર્ષદો ______વહાણમાં બેસી _______ આવી પહોંચ્યા.

a)

ભાવનગરથી, દીવ

b)

દીવથી, ભાવનગર

c)

માંગરોળથી, દીવ

d)

ઉનાથી, દીવ

9.

ઉદ્ધત બાવો શ્રીજી મહારાજ વિશે પાર્ષદોને શું બોલવા લાગ્યો?

a)

યે તુમારા સ્વામિનારાયણ બડા પાખંડી હૈ. ઉસને બાબરા ભૂતકો વશ કિયા હૈ.

b)

ઉનકા નામ લેનેસે કયા ફાયદા હોતા હૈ !

c)

વહ તો નકલી સહજાનંદ હૈ. હમ હી અસલી સહજાનંદ હૈ. હમારી સેવા કરો, દર્શન કરો બડા ભારી પુન્ય હોગા.

d)

મેં સ્વામિનારાયણ સે ડરતા નહીં હું

10.

કોણ બોલે છે કોને કહે છે "આ તારી મા સગી નહિ થાય, સમજ્યો ? ચૂપ મર ખોલકું ના ? હવે જરાય બોલ્યોતો તારું માથું જ વાઢી નાખીશ."

a)

પ્રેમબાઈ બોલે છે બાવા ને કહે છે

b)

પ્રેમજી બખાઈ બોલે છે બાવા ને કહે છે

c)

સુરા ખાચર બોલે છે બાવા ને કહે છે

d)

સોમલા ખાચર બોલે છે બાવા ને કહે છે

11.

કોણ બોલે છે "બાવલિયો થઈને બદમાસી કરવા તૈયાર થયો છો ! તારો બદઈરાદો જાણીને ખુદ સ્વામિનારાયણે જ અમને અહીં મોકલ્યા છે, સમજ્યો ?"

a)

પ્રેમબાઈ

b)

સુરા ખાચર

c)

ભીમ ડાભી

d)

પ્રેમજી બખાઈ

12.

કોણ બોલે છે કોને કહે છે ”અત્યારે જ અહીંથી તારે રસ્તે ચાલતો થા નહિ તો તારી ખેર નથી"

a)

સુરા ખાચર બોલે છે અને બાવા ને કહે છે

b)

સોમલા ખાચર બોલે છે અને બાવા ને કહે છે

c)

ભીમ ડાભી બોલે છે અને બાવા ને કહે છે

d)

પ્રેમબાઈ બોલે છે અને બાવા ને કહે છે

13.

સોમલા ખાચરે પ્રેમબાઈને કોનો પત્ર આપ્યો?

a)

મહારાજનો

b)

પિતા પ્રેમજી બખાઈનો

c)

બાવાનો

d)

ભીમ ડાભીનો

14.

પત્ર દ્વારા મહારાજે પ્રેમબાઈ ને શો આદેશ આપ્યો હતો?

a)

ઉનામાં પોતાના માવતરને ત્યાં આવતા રહેવાનો

b)

બાવાથી નહીં ડરવાનો

c)

સાસરિયામાં રહી સહુની સેવા કરવાનો

d)

દીવથી ગઢડા આવી જવાનો

15.

મહારાજના આદેશથી પ્રેમબાઈએ ઉના આવી શું કર્યું? (એક બે વાક્યમાં જવાબ આપો)

a)

ઊનામાં રહી ભજન કર્યું

b)

બાઈઓના સત્સંગને ભારે પોષણ આપ્યું.

c)

બાળકોને ભણાવવાની સેવા આપી

d)

ઉનામાં સ્વામિનારાયણ ભગવાનનું મંદિર બનાવ્યું