NEW
Font size
Worksheetsગણેશજીના જીવન પર આધારિત કથાના આધારે આધ્યાત્મિક મર્મ સમજીએ..
Total questions: 5
Worksheet time: 3mins
૧) શિવપુરાણમાં વર્ણવેલ કથાના આધારે શિવજીએ ત્રિશૂળથી ગણેશજીનું મસ્તક ધડથી અલગ કર્યું તેનું કારણ શું હતું ?
ગણેશજી માતા પાર્વતીજીની આજ્ઞાથી ભવનના દ્વાર પરથી કોઈને પણ પ્રવેશ આપતા ન હતા.
ગણેશજી શિવજીના ગણોનું કહ્યું ન માન્યા એટલે.
૨) કુબેરજી ભગવાન શિવને સર્વ ગણો સહિત જમવાનું આમંત્રણ આપે છે ત્યારે શિવજી ગણેશજી પોતાના સ્થાને મોકલે છે તેનું કારણ શું હતું ?
ગણેશજી વધુ જમી શકે છે એટલે.
કુબેરજીએ આપેલ આમંત્રણમાં પોતાની ધન સંપતિ નો અહંકાર હતો અને તેને નષ્ટ કરવા.
૩) ચંદ્રમા જ્યારે ગણેશજીના મુખ જોઈને હાસ્ય કરે છે ત્યારે ગણેશજી તેમને શ્રાપ આપે છે, છતાં પણ ગણેશજી તેમને માફ કરી દે છે તેનું કારણ ?
વિશ્વમાંથી ચંદ્રની ચાંદની જતી ન રહે એટલે.
ગણેશજી ક્ષમાશીલ છે એટલે.
૪) મહાભારતના લેખન સમયે ગણેશજીએ પોતાનો બાહ્ય દાંત તોડી ને પણ લેખન કાર્ય ચાલુ કેમ રાખ્યું.
ગણેશજી એ વચન આપ્યું હતું કે મારી કલમ અટકશે નહીં.
ગ્રંથ ખૂબ મોટો હતો એટલે.
૫) ગણેશજી પિતા શંકર અને માતા પાર્વતીજીની પ્રદક્ષિણા ફર્યા ?
સમગ્ર સૃષ્ટિ નું કેન્દ્રબિંદુ તેમના ચરણે જ છે તેવી ભાવના
ભાઈ કાર્તિકેય થી જીતી શકવાની કોઈ સંભાવના ન હતી એટલે
